AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો, તો જાણો ડિવિડન્ડ ફંડ અને ગ્રોથ ફંડમાં ક્યુ રોકાણ લાભદાયક છે

જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને ગ્રોથ ઓપશન ઉપરાંત ડિવિડન્ડનો વિકલ્પ મળે છે. નાણાકીય નિષ્ણાતો કહે છે કે જો તમે ડિવિડન્ડ વિકલ્પ પસંદ કરો છો તો તમને સમયાંતરે ડિવિડન્ડ મળશે પરંતુ ફાઇનલ રિટર્ન ઓછું છે.

જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો, તો જાણો ડિવિડન્ડ ફંડ અને ગ્રોથ ફંડમાં ક્યુ રોકાણ લાભદાયક છે
SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 9:58 AM
Share

રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement Planning )માટે રોકાણ (Investment) માટેનીસ્કીમનું વળતર મોંઘવારી કરતા વધારે હોવું જોઈએ. હાલમાં મોંઘવારી દર(Inflation rate) 5-6 ટકાની વચ્ચે છે. તે કિસ્સામાં જો તમે રોકાણના પરંપરાગત માધ્યમોમાં રોકાણ કરશો તો ચોખ્ખું વળતર ઓછું મળશે. મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં તમારા પૈસા શેરબજાર(Share Market)માં પણ રોકાણ કરવામાં આવે છે જેના કારણે તમને વધુ વળતર મળે છે અને તમારું નેટ રિટર્ન વધુ હશે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો ગ્રોથ વિકલ્પ અને ડિવિડન્ડ વિકલ્પમાં કોણ વધુ સારું છે, આ એક સામાન્ય પ્રશ્ન છે. તમારા માટે એ જાણવું પણ અગત્યનું છે કે તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ અને તેમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું કેટલું યોગદાન હોવું જોઈએ.

નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમે તમારી કારકિર્દીની શરૂઆતમાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો ઇક્વિટીમાં 75 ટકા સુધીનું રોકાણ કરી શકાય છે. ઇક્વિટી ડેટ ફંડ કરતાં વધુ રિફંડ ઓફર કરે છે. જો તમે ઇક્વિટી માર્કેટમાં લાંબા સમય સુધી રોકાણ કરો છો, તો તમને કોઈપણ સંજોગોમાં બમ્પર વળતર મળશે.

બજારમાં ડઝનબંધ ઇક્વિટી ફંડ ઉપલબ્ધ છે જેમાં કોઈપણની NAV ખરીદી શકાય છે. જેમ કે ટાટા ઇન્ડેક્સ સેન્સેક્સ ફંડ, એચડીએફસી ઇન્ડેક્સ સેન્સેક્સ ફંડ, માય એસેટ ઇમર્જિંગ બ્લુચીપ ફંડ, પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ. તમે આ ફંડ્સમાં SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ પણ રોકાણ કરી શકો છો. આ ઉપરાંત એવા ઘણા ફંડ્સ છે જેમાં કલમ 80C હેઠળ કપાતનો લાભ રોકાણ પર ઉપલબ્ધ છે.

તમે ગ્રોથ અને ડિવિડન્ડમાં કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો

જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને ગ્રોથ ઓપશન ઉપરાંત ડિવિડન્ડનો વિકલ્પ મળે છે. નાણાકીય નિષ્ણાતો કહે છે કે જો તમે ડિવિડન્ડ વિકલ્પ પસંદ કરો છો તો તમને સમયાંતરે ડિવિડન્ડ મળશે પરંતુ ફાઇનલ રિટર્ન ઓછું છે. આ કિસ્સામાં ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના અમુક ભાગમાં ડિવિડન્ડ વિકલ્પ હોવો જોઈએ. જો કે તમારે ડિવિડન્ડની આવક પર ડિવિડન્ડ ટેક્સ ચૂકવવો પડશે. રોકાણ કરતી વખતે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી તરફ લાંબા ગાળાના વિકાસ માટે ફંડ પસંદ કરવું જોઈએ. તેમાં તમારું રોકાણ ઝડપથી વધે છે. તમારા મ્યુચ્યુઅલ ફંડને જે રિટર્ન મળી રહ્યું છે તેનું ફરીથી રોકાણ કરવામાં આવે છે. તેના કમ્પાઉન્ડિંગ નેચરને કારણે તે મલ્ટિબેગર રિટર્ન આપે છે.

ઇક્વિટી એક એસેટ ક્લાસ છે

નાણાકીય નિષ્ણાતો કહે છે કે ઇક્વિટી એક એસેટ ક્લાસ છે. તે એકદમ અસ્થિર રહે છે. તમારો પોર્ટફોલિયો પ્રારંભિક રોકાણ પર નકારાત્મક વળતર આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે મલ્ટીપલ વળતર આપશે. બીજી તરફ તમારી ટૂંકા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડેટ ફંડમાં પોર્ટફોલિયોનો અમુક હિસ્સો પણ જમા કરો. આ ડેટ ફંડ 5 વર્ષ સુધીનું હોઈ શકે છે. ઈમરજન્સી ફંડ પણ તૈયાર રાખો.

આ પણ વાંચો : Share Market : હવે IPO માં WhatsApp દ્વારા પણ રોકાણ કરી શકાશે, જાણો કઈ રીતે?

આ પણ વાંચો : LIC IPO ઉપર રશિયા-યુક્રેનના સંકટનો ઓછાયો પડયો, IPO લોન્ચિંગ ડેટ લંબાવાઈ શકે છે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">