રોકાણકારો માટે આજીવન રિટર્ન મેળવવાની તક! HDFC બેંક રૂપિયા 50000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે

રોકાણકારો માટે જીવનભર સ્થિર આવક માટે આ એક સારી તક હોઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ બેંક પર્પેચ્યુઅલ બોન્ડ્સ પણ જારી કરશે જેમાં રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરી શકશે.

રોકાણકારો માટે આજીવન રિટર્ન મેળવવાની તક! HDFC બેંક રૂપિયા 50000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે
HDFC BANK
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 7:08 AM

HDFC BANK એ જણાવ્યું છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ જરૂરિયાતો અને સસ્તા હાઉસિંગ લોન(Housing Loan)ને ધ્યાનમાં રાખીને બોન્ડ દ્વારા રૂ. 50,000 કરોડ સુધી એકત્ર કરશે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પર્પેચ્યુઅલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પરિપક્વતા અવધિ વિનાના બોન્ડ), કેપિટલ બોન્ડ્સ(Capital Bonds) અને રૂ. 50,000 કરોડ સુધીના લાંબા ગાળાના બોન્ડ્સ જારી કરવાની મંજૂરી આપી છે. જોકે, આ માટે  શેરહોલ્ડરની પરવાનગી મેળવવાની બાકી છે. બોન્ડ્સ જારી કરીને સામાન્ય રીતે તે કંપનીઓ નાણાં એકત્ર કરે છે જેને આટલા પૈસાની જરૂર હોતી નથી. ઘણીવાર માત્ર સ્વસ્થ કંપનીઓ જ બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરે છે જેથી તેઓ તેનો ઉપયોગ બિઝનેસ વૃદ્ધિ અને અન્ય પ્રોજેક્ટ માટે કરી શકે. કંપનીઓ માટે બેંક પાસેથી લોન લેવા કરતાં બોન્ડ ઇશ્યુ કરીને નાણાં એકત્ર કરવું એ વધુ સારો વિકલ્પ છે કારણ કે વ્યાજ તુલનાત્મક રીતે ઓછું છે.

રોકાણકારો માટે શું વિકલ્પ છે ?

રોકાણકારો માટે જીવનભર સ્થિર આવક માટે આ એક સારી તક હોઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ બેંક પર્પેચ્યુઅલ બોન્ડ્સ પણ જારી કરશે જેમાં રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરી શકશે. આ બોન્ડમાં પાકતી મુદત હોતી નથી તેથી બેંક રોકાણકારને જીવનભર વ્યાજ ચૂકવશે. આ સાથે એવા લોંગ ટર્મ બોન્ડ્સ પણ છે જે 10-30 વર્ષની મેચ્યોરિટી ધરાવી શકે છે અને રોકાણકારો લાંબા સમય સુધી તેનાથી નફો કમાઈ શકે છે. HDFC બેંક ભારતની સૌથી મોટી ખાનગી બેંક છે. માર્ચ ક્વાર્ટરના આંકડામાં બેન્કનું પ્રદર્શન સારું રહ્યું છે. બેંકનો નફો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 10,055 કરોડ થયો છે. આ સિવાય એચડીએફસી લિમિટેડના બેંક સાથે મર્જર બાદ બેંકના બિઝનેસમાં વધુ વધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં HDFC બેંકના બોન્ડમાં રોકાણ કરવું એ સારો નિર્ણય હોઈ શકે છે.

રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉમેરાયા

એચડીએફસીએ ત્રિમાસિક આંકડાઓ જાહેર કરવા અને બોન્ડ્સ અંગેની માહિતી આપવા ઉપરાંત રેગ્યુલેટરને પણ જાણ કરી હતી કે રેણુ કર્નાડને 3 સપ્ટેમ્બર, 2022થી બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉમેરવામાં આવ્યા છે. જો કે, તેમની નિમણૂક હાલમાં એજીએમમાં ​​શેરધારકોની પરવાનગીને આધીન છે. રેણુ કર્નાડ 2010 થી HDFC કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) હતા.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચો : Bank Opening Time : આજથી દેશભરમાં 1 કલાક વહેલી ખુલશે બેંક, સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત 13 માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ વધારામાંથી મળી રાહત, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">