AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં

સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 1:02 PM
Share

સરકાર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે.

તમામ એરપોર્ટને માહિતી આપવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને OCI કાર્ડ્સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી ભારતના તમામ એરપોર્ટને આપવામાં આવશે અને ભારતમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે – PM મોદીએ મન કી બાતમાં કહ્યું

કેનેડા, અમેરિકા, બ્રિટનને માહિતી આપવામાં આવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થયેલા તમામ હિંસક પ્રદર્શનોની તમામ વિગતો કેનેડા, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોને આપવામાં આવી છે. શરૂઆતમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે, જેઓ આવા પ્રદર્શનમાં સતત સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની છબી ખરાબ કરવાનો છે.

NIAએ 25 આતંકીઓની યાદી તૈયાર કરી

તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની ષડયંત્ર પર ડબલ સ્ટ્રાઈક કરી છે. ભારતમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ આવા 25 આતંકીઓની યાદી તૈયાર કરી છે. ગઈકાલે NIAએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. ભારતમાં ઘણી ગંભીર કલમો હેઠળ તેની સામે કેસ નોંધાયેલા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">