AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ

ઈસ્લામાબાદ શાંતિ સંમેલન નિષ્ફળ રહેતા ટ્રમ્પે હોર્મુઝમાં જહાજો રોકવાનો આદેશ આપ્યો. જહાજોની અવરજવર બંધ થવાથી, તેલના ભાવમાં થશે ભડાકો? ઈરાનના પરમાણુ પ્રોગ્રામ મુદ્દે દુનિયામાં ખળભળાટ. જાણો ભારત પર શું થશે અસર.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 12, 2026 | 8:58 PM
Share

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 20 કલાકની મેરેથોન શાંતિ મંત્રણાઓ કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ચોંકાવી દેતું મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં જહાજોની નાકેબંધી કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર મોટું જોખમ ઉભું થયું છે.

સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો અને ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે અમેરિકી નૌસેનાને તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને રોકવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પનો સૌથી મોટો આરોપ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજો પાસેથી ગેરકાયદેસર ‘ટોલ’ વસૂલી રહ્યું છે, જેને તેમણે ‘જબરન વસૂલાત’ ગણાવી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની સૈનિક અમેરિકી જહાજો પર ગોળીબાર કરશે, તો તેને ‘નરકમાં મોકલી દેવામાં આવશે’. સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો (માઈન્સ) ને કારણે જહાજ માલિકો પહેલેથી જ ફફડાટમાં છે, અને હવે અમેરિકાની આ નાકેબંધીથી સ્થિતિ વધુ ગંભીર બની છે.

શા માટે નિષ્ફળ રહી ઈસ્લામાબાદ મંત્રણા?

ઈસ્લામાબાદમાં જેડી વેન્સ અને ઈરાની નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ઘણા મુદ્દાઓ પર સહમતી બની હોવા છતાં, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પેચ ફસાયો હતો. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના પરમાણુ હથિયાર બનાવવાના પ્લાન પર રોક નહીં લગાવે, ત્યાં સુધી કોઈ પણ સમજૂતી શક્ય નથી. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની સૈન્ય ક્ષમતા પહેલેથી જ નબળી પડી ગઈ છે અને હવે નાકેબંધી દ્વારા તેની આર્થિક કમર તોડવામાં આવશે.

ભારત અને વિશ્વ પર શું થશે અસર?

હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે. જો અહીં નાકેબંધી થાય, તો ભારત જેવા દેશો માટે તેલની આયાત મોંઘી થઈ શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ નાકેબંધી અભિયાનમાં અન્ય શક્તિશાળી દેશો પણ જોડાઈ શકે છે. શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? તે સવાલ અત્યારે આખા વિશ્વને સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ નાકેબંધીનો જવાબ કેવી રીતે આપે છે અને શું આંતરરાષ્ટ્રીય સમુદાય આ સંકટને ટાળી શકશે.

વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">