AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ

ઈસ્લામાબાદ શાંતિ સંમેલન નિષ્ફળ રહેતા ટ્રમ્પે હોર્મુઝમાં જહાજો રોકવાનો આદેશ આપ્યો. જહાજોની અવરજવર બંધ થવાથી, તેલના ભાવમાં થશે ભડાકો? ઈરાનના પરમાણુ પ્રોગ્રામ મુદ્દે દુનિયામાં ખળભળાટ. જાણો ભારત પર શું થશે અસર.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 12, 2026 | 8:58 PM
Share

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 20 કલાકની મેરેથોન શાંતિ મંત્રણાઓ કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ચોંકાવી દેતું મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં જહાજોની નાકેબંધી કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર મોટું જોખમ ઉભું થયું છે.

સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો અને ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે અમેરિકી નૌસેનાને તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને રોકવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પનો સૌથી મોટો આરોપ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજો પાસેથી ગેરકાયદેસર ‘ટોલ’ વસૂલી રહ્યું છે, જેને તેમણે ‘જબરન વસૂલાત’ ગણાવી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની સૈનિક અમેરિકી જહાજો પર ગોળીબાર કરશે, તો તેને ‘નરકમાં મોકલી દેવામાં આવશે’. સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગો (માઈન્સ) ને કારણે જહાજ માલિકો પહેલેથી જ ફફડાટમાં છે, અને હવે અમેરિકાની આ નાકેબંધીથી સ્થિતિ વધુ ગંભીર બની છે.

શા માટે નિષ્ફળ રહી ઈસ્લામાબાદ મંત્રણા?

ઈસ્લામાબાદમાં જેડી વેન્સ અને ઈરાની નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ઘણા મુદ્દાઓ પર સહમતી બની હોવા છતાં, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પેચ ફસાયો હતો. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના પરમાણુ હથિયાર બનાવવાના પ્લાન પર રોક નહીં લગાવે, ત્યાં સુધી કોઈ પણ સમજૂતી શક્ય નથી. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની સૈન્ય ક્ષમતા પહેલેથી જ નબળી પડી ગઈ છે અને હવે નાકેબંધી દ્વારા તેની આર્થિક કમર તોડવામાં આવશે.

ભારત અને વિશ્વ પર શું થશે અસર?

હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે. જો અહીં નાકેબંધી થાય, તો ભારત જેવા દેશો માટે તેલની આયાત મોંઘી થઈ શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ નાકેબંધી અભિયાનમાં અન્ય શક્તિશાળી દેશો પણ જોડાઈ શકે છે. શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? તે સવાલ અત્યારે આખા વિશ્વને સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ નાકેબંધીનો જવાબ કેવી રીતે આપે છે અને શું આંતરરાષ્ટ્રીય સમુદાય આ સંકટને ટાળી શકશે.

વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">