Sweden News: નોબેલ પ્રાઈઝ 2023ના વિજેતાઓની ઈનામની રકમમાં કરવામાં આવ્યો વધારો, જાણો શું છે કારણ

નોબેલ ફાઉન્ડેશન અનુસાર, આ વર્ષના પુરસ્કાર વિજેતાઓને એક કરોડ દસ લાખ સ્વીડિશ ક્રાઉન આપવામાં આવશે , જે અંદાજે રૂ. આઠ કરોડ દસ લાખની સમકક્ષ છે. નોબેલ પારિતોષિક વિજેતાઓને આપવામાં આવતી રકમમાં તાજેતરના વર્ષોમાં ફાઉન્ડેશનની નાણાકીય સ્થિતિને અનુરૂપ એક કરતા વધુ વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

Sweden News: નોબેલ પ્રાઈઝ 2023ના વિજેતાઓની ઈનામની રકમમાં કરવામાં આવ્યો વધારો, જાણો શું છે કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 5:51 PM

Nobel Prize 2023 : નોબેલ ફાઉન્ડેશને આ વર્ષના વિજેતાઓ માટે ઈનામની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, આપેલી રકમમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, વધતા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને, સ્વીડનમાં આ રકમ ફરી એકવાર વધારવામાં આવી રહી છે. જો કે, યુરો અને યુએસ ડોલર સામે સતત ગગડી રહેલી સ્વીડિશ કરન્સી એક સમસ્યા તરીકે ઉભરી આવી છે.

વિશ્વના સૌથી મોટા એવોર્ડ ઈવેન્ટ નોબેલ પ્રાઈઝ એવોર્ડને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની ઈનામની રકમ આ વર્ષથી વધારી દેવામાં આવી છે.

જાણો કેટલી રકમ આપવામાં આવશે

નોબેલ ફાઉન્ડેશન અનુસાર, તે આ વર્ષથી નોબેલ પુરસ્કારની રકમ 1 મિલિયન ક્રોનરથી વધારીને 11 મિલિયન ક્રોનર કરવા જઈ રહ્યું છે . જે ભારતીય રૂપિયામાં 8,19,49,519 રૂપિયા બરાબર છે . હવે ફાઉન્ડેશન પ્રમાણે પૈસા વધારવું યોગ્ય રહેશે. સ્વીડિશ ચલણના મૂલ્યમાં ઘટાડા પછી, તે યુરો અને યુએસ ડૉલરની સામે ખૂબ જ નીચા સ્તરે આવી ગયું છે. સ્વીડન સતત ઊંચા ફુગાવાના દર સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દેશમાં ફુગાવાનો દર ઓગસ્ટમાં 7.5 ટકા હતો જ્યારે જુલાઈમાં 9.3 ટકા ફુગાવાનો દર નોંધાયો હતો.

આ પણ વાંચો : પેરિસમાં ફરવા માટેના 10 બેસ્ટ સ્થાનો વિશે જાણો-જુઓ Photos

10મી ડિસેમ્બરે આપવામાં આવશે એવોર્ડ

આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત આવતા મહિને કરવામાં આવશે અને વિજેતાઓને 10 ડિસેમ્બરે એક ભવ્ય એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ યોજવામાં આવે છે. નોબેલ શાંતિ પુરસ્કારો નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે, જ્યારે અન્ય એવોર્ડ સમારંભો સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં યોજાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video