Breaking News: મોટા મુસ્લિમ રાષ્ટ્રે પોતાના નાગરિકો માટે, બીજા દરજ્જાના મુસ્લિમ દેશોમાં જવા સામે લગાવ્યો પ્રતિબંધ
મોટા મુસ્લિમ દેશોએ જ પોતાના નાગરિકો માટે બીજા ડઝન મુસ્લિમ દેશોના દરવાજા કર્યા બંધ! આખરે એવું તે શું થયું કે ઇસ્લામિક દેશો વચ્ચે જ આટલી મોટી તિરાડ પડી? સાઉદી અરેબિયાના એક ચોંકાવનારા નિર્ણયથી આખી દુનિયા સ્તબ્ધ છે!

દુનિયાના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશોમાંના એક એવા સાઉદી અરેબિયાએ અચાનક એક એવો આદેશ બહાર પાડ્યો છે, જેનાથી સમગ્ર અરબ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સાઉદી સરકારે તેના નાગરિકો માટે મુસાફરીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જો કોઈ નાગરિક ભૂલથી પણ પ્રતિબંધિત દેશોની યાદીમાં સામેલ દેશમાં પગ મૂકશે, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.
શું છે આ પ્રતિબંધ
સાઉદી અરેબિયાના આંતરિક બાબતોના મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સઉદ બિન નાઈફ દ્વારા મંજૂર કરાયેલા નવા નિયમો મુજબ, હવે સાઉદી નાગરિકો અમુક ચોક્કસ દેશોમાં સત્તાવાર પરવાનગી વગર જઈ શકશે નહીં. આ યાદીમાં એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા જોખમમાં છે અથવા જે દેશો સાથે સાઉદીના રાજકીય સંબંધો તણાવપૂર્ણ છે. આ યાદીમાં ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સીરિયા, લેબનોન અને સોમાલિયા જેવા દેશોના નામ મોખરે છે.
દંડની રકમ સાંભળીને પરસેવો છૂટી જશે
નવા એક્ઝિક્યુટિવ રેગ્યુલેશન હેઠળ, જો કોઈ પહેલીવાર નિયમ તોડે છે, તો તેને SR 30,000 (સાઉદી રિયાલ) સુધીનો દંડ અને 2વર્ષ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવશે. પરંતુ જો કોઈ વ્યક્તિ બીજી વાર આ ભૂલ કરે છે, તો દંડની રકમ બમણી થઈને SR 60,000 થઈ જશે અને પ્રવાસ પરનો પ્રતિબંધ વધીને 5 વર્ષ સુધીનો થઈ શકે છે.
પાસપોર્ટ અને દસ્તાવેજો સાથે છેડછાડ પડશે મોંઘી
માત્ર પ્રવાસ જ નહીં, પણ જો કોઈ નાગરિક પોતાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ (પાસપોર્ટ) બીજાને વાપરવા આપે અથવા તેમાં છેડછાડ કરે, તો તેને 1,00,000 સાઉદી રિયાલ સુધીનો તોતિંગ દંડ ભરવો પડી શકે છે. આ મામલાને સીધો પબ્લિક પ્રોસિક્યુશન (કોર્ટ) માં મોકલવામાં આવશે, જેનો અર્થ છે કે જેલની હવા પણ ખાવી પડી શકે છે.
શા માટે લેવાયો આ કઠોર નિર્ણય
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. હાઈ-રિસ્ક ઝોન કે જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે અથવા આતંકવાદી ગતિવિધિઓ વધુ છે, ત્યાં સાઉદી નાગરિકો ફસાઈ ન જાય તે માટે આ ‘રક્ષણાત્મક કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, સરકાર પાસે ખાસ પરવાનગી લઈને જવાની છૂટ છે, પણ તે પ્રક્રિયા અત્યંત જટિલ છે.
કોને મળશે છૂટ
નિયમોમાં કેટલીક માનવીય છૂટછાટ પણ આપવામાં આવી છે. જો કોઈ પ્રવાસીની ઉંમર 60 વર્ષથી વધુ હોય, અથવા જે દેશમાં પ્રતિબંધ છે ત્યાં તેમના નજીકના લોહીના સગાઓ રહેતા હોય, તો દંડમાં રાહત મળી શકે છે. આ સિવાય 48 કલાકથી ઓછો ટ્રાન્ઝિટ સ્ટે હોય તો પણ તપાસ બાદ રાહત મળી શકે છે.
