AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર

અમેરિકી સંરક્ષણ સૂત્રોએ દાવો કર્યો છે કે રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રશિયાએ યુક્રેનની સરહદ પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તૈનાત કર્યા છે.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:48 PM
Share

છેલ્લા ઘણા દિવસોથી રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રિપોર્ટ અનુસાર રશિયા સવારે 5.30 વાગ્યે યુક્રેન પર હુમલો કરશે. સવારે ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) હુમલાનો આદેશ આપશે. મારિયાપોલ રશિયા દ્વારા લક્ષ્યાંકિત પ્રથમ શહેર હશે. આ શહેર રશિયાથી માત્ર 48 કિલોમીટર દૂર છે.

અગાઉ, નાટોએ કહ્યું હતું કે રશિયન સૈનિકો પાછા હટી રહ્યા છે. પરંતુ આ સમાચાર પર યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પહેલા જોઈશું અને પછી વિશ્વાસ કરીશું. તેમણે કહ્યું કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયાના અવરોધને રોકવા માટે કામ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે બુધવારે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો થઈ શકે છે.

અગાઉ, મોસ્કોએ પણ કહ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક તૈનાત રશિયન સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા છે. આ સૈનિકો તેમના સૈન્ય મથકો પર પાછા જઈ રહ્યા છે. મોસ્કોએ કહ્યું છે કે સધર્ન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના એકમો સૈન્ય બેઝ પર પાછા આવી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લડાઈ પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી રશિયન સૈનિકો તેમના કાયમી જમાવટના સ્થળો પર પાછા ફરશે. કેટલાક સૈનિકોએ તેમનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને હવે તેઓ ટ્રેન અને કાર દ્વારા પરત ફરી રહ્યા છે. પરંતુ બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણ ખૂબ જ સંભવ છે, જે ટૂંક સમયમાં થઈ શકે છે અને યુરોપ-વ્યાપી સ્થિરતાને જોખમમાં મૂકશે.

આ પણ વાંચો: Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ

આ પણ વાંચો: Kutch: 78 વર્ષના વૃધ્ધને બોર ખાવાનું ભારે પડ્યું, ઠળિયો ફેફસામાં ફસાઇ જતાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો 

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">