AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર

અમેરિકી સંરક્ષણ સૂત્રોએ દાવો કર્યો છે કે રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રશિયાએ યુક્રેનની સરહદ પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તૈનાત કર્યા છે.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:48 PM
Share

છેલ્લા ઘણા દિવસોથી રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રિપોર્ટ અનુસાર રશિયા સવારે 5.30 વાગ્યે યુક્રેન પર હુમલો કરશે. સવારે ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) હુમલાનો આદેશ આપશે. મારિયાપોલ રશિયા દ્વારા લક્ષ્યાંકિત પ્રથમ શહેર હશે. આ શહેર રશિયાથી માત્ર 48 કિલોમીટર દૂર છે.

અગાઉ, નાટોએ કહ્યું હતું કે રશિયન સૈનિકો પાછા હટી રહ્યા છે. પરંતુ આ સમાચાર પર યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પહેલા જોઈશું અને પછી વિશ્વાસ કરીશું. તેમણે કહ્યું કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયાના અવરોધને રોકવા માટે કામ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે બુધવારે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો થઈ શકે છે.

અગાઉ, મોસ્કોએ પણ કહ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક તૈનાત રશિયન સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા છે. આ સૈનિકો તેમના સૈન્ય મથકો પર પાછા જઈ રહ્યા છે. મોસ્કોએ કહ્યું છે કે સધર્ન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના એકમો સૈન્ય બેઝ પર પાછા આવી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લડાઈ પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી રશિયન સૈનિકો તેમના કાયમી જમાવટના સ્થળો પર પાછા ફરશે. કેટલાક સૈનિકોએ તેમનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને હવે તેઓ ટ્રેન અને કાર દ્વારા પરત ફરી રહ્યા છે. પરંતુ બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણ ખૂબ જ સંભવ છે, જે ટૂંક સમયમાં થઈ શકે છે અને યુરોપ-વ્યાપી સ્થિરતાને જોખમમાં મૂકશે.

આ પણ વાંચો: Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ

આ પણ વાંચો: Kutch: 78 વર્ષના વૃધ્ધને બોર ખાવાનું ભારે પડ્યું, ઠળિયો ફેફસામાં ફસાઇ જતાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો 

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">