AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર

અમેરિકી સંરક્ષણ સૂત્રોએ દાવો કર્યો છે કે રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રશિયાએ યુક્રેનની સરહદ પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તૈનાત કર્યા છે.

યુક્રેન પર બુધવારે સવારે હુમલો કરી શકે છે રશિયા, 3 વાગ્યે હુમલાનો આદેશ આપશે રાષ્ટ્રપતિ પુતિન: યુએસ સંરક્ષણ સુત્ર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:48 PM
Share

છેલ્લા ઘણા દિવસોથી રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરશે. રિપોર્ટ અનુસાર રશિયા સવારે 5.30 વાગ્યે યુક્રેન પર હુમલો કરશે. સવારે ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) હુમલાનો આદેશ આપશે. મારિયાપોલ રશિયા દ્વારા લક્ષ્યાંકિત પ્રથમ શહેર હશે. આ શહેર રશિયાથી માત્ર 48 કિલોમીટર દૂર છે.

અગાઉ, નાટોએ કહ્યું હતું કે રશિયન સૈનિકો પાછા હટી રહ્યા છે. પરંતુ આ સમાચાર પર યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પહેલા જોઈશું અને પછી વિશ્વાસ કરીશું. તેમણે કહ્યું કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયાના અવરોધને રોકવા માટે કામ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે બુધવારે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો થઈ શકે છે.

અગાઉ, મોસ્કોએ પણ કહ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક તૈનાત રશિયન સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા છે. આ સૈનિકો તેમના સૈન્ય મથકો પર પાછા જઈ રહ્યા છે. મોસ્કોએ કહ્યું છે કે સધર્ન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના એકમો સૈન્ય બેઝ પર પાછા આવી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લડાઈ પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી રશિયન સૈનિકો તેમના કાયમી જમાવટના સ્થળો પર પાછા ફરશે. કેટલાક સૈનિકોએ તેમનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને હવે તેઓ ટ્રેન અને કાર દ્વારા પરત ફરી રહ્યા છે. પરંતુ બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણ ખૂબ જ સંભવ છે, જે ટૂંક સમયમાં થઈ શકે છે અને યુરોપ-વ્યાપી સ્થિરતાને જોખમમાં મૂકશે.

આ પણ વાંચો: Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ

આ પણ વાંચો: Kutch: 78 વર્ષના વૃધ્ધને બોર ખાવાનું ભારે પડ્યું, ઠળિયો ફેફસામાં ફસાઇ જતાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">