AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનના આ શહેરોના લોકો માટે તેમના દેશમાં પ્રવેશવું બનાવ્યું સરળ, હવે વિઝાની જરૂર નહીં પડે

ક્રેમલિન પ્રેસ સર્વિસે શનિવારે નિર્દેશ આપ્યો હતો કે આવી વ્યક્તિઓને માત્ર તેમની ઓળખ સાબિત કરતા અને રશિયા દ્વારા માન્યતા ધરાવતા માન્ય દસ્તાવેજની જરૂર પડશે અથવા તેમની ઓળખ સાબિત કરતો દસ્તાવેજ સમાપ્ત થઈ ગયો હોય તો પણ રજુ કરી શકશે.

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનના આ શહેરોના લોકો માટે તેમના દેશમાં પ્રવેશવું બનાવ્યું સરળ, હવે વિઝાની જરૂર નહીં પડે
Russia Ukraine War (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 10:00 AM
Share

ક્રેમલિન પ્રેસ સર્વિસે સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશને ટાંકીને કહ્યું કે રશિયાએ ડોનેટ્સક (Donetsk) અને લુહાન્સ્ક (Luhansk) પીપલ્સ રિપબ્લિક ઑફ યુક્રેન (DPR અને LPR)થી આવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવી છે. ઓર્ડર મુજબ, 5 માર્ચ, 2022થી ડોનેટ્સક અને લુહાન્સ્કથી આવતા વિદેશી નાગરિકો અને બેઘર લોકો વિઝા નોંધણી વિના રશિયામાં પ્રવેશ કરી શકશે. ક્રેમલિન પ્રેસ સર્વિસે શનિવારે નિર્દેશ આપ્યો હતો કે આવી વ્યક્તિઓને માત્ર તેમની ઓળખ સાબિત કરતા અને રશિયા દ્વારા માન્યતા ધરાવતા માન્ય દસ્તાવેજની જરૂર પડશે અથવા તેમની ઓળખ સાબિત કરતો દસ્તાવેજ સમાપ્ત થઈ ગયો છે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે ચેતવણી આપી હતી કે યુક્રેનનું રાજ્યત્વ જોખમમાં છે અને રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધોને યુદ્ધની ઘોષણા સાથે સરખાવ્યા છે. શનિવારે, યુક્રેનિયન શહેર માર્યુપોલમાં યુદ્ધવિરામનું વચન ત્યાં હિંસક દ્રશ્યો વચ્ચે નિષ્ફળ ગયું હોવાનું જણાયું હતું. રશિયન સૈનિકોએ શહેરોની ઘેરાબંધી કરવાનું ચાલુ રાખ્યું છે અને દેશ છોડીને ભાગી જવા માટે ફરજ પાડવામાં આવેલા યુક્રેનિયન નાગરિકોની સંખ્યા વધીને 1.4 મિલિયન થઈ ગઈ છે. પુતિન સતત આ માટે સંપૂર્ણપણે યુક્રેનિયન નેતૃત્વને દોષી ઠેરવે છે. જો તેઓ આવું કરવાનું ચાલુ રાખે છે તો તેઓ ભવિષ્યમાં યુક્રેનની રાષ્ટ્રીય સ્થિતિને જોખમમાં મૂકે છે, એમ તેમણે જણાવ્યું હતું. જો આવું થાય તો તે સંપૂર્ણપણે તેમના વિવેક પર નિર્ભર રહેશે.

યુદ્ધવિરામ બાદ રશિયાએ ગોળીબાર શરૂ કર્યો હતો

યુક્રેનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કર્યાના કલાકો પછી ગોળીબાર શરૂ થયો હતો, જેના કારણે માર્યુપોલ અને પૂર્વીય શહેર વોલનોવાખામાંથી સ્થળાંતર વિક્ષેપિત થયું હતું. અગાઉ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે તે દક્ષિણપૂર્વમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદર માર્યુપોલ અને પૂર્વમાં વોલ્નોવાખા શહેરમાં લોકોને સ્થળાંતર કરવાનો માર્ગ આપવા માટે સંમત થયા છે. જો કે આ નિવેદનમાં તે સ્પષ્ટ નથી થયું કે તે માર્ગો કેટલા સમય સુધી ખુલ્લા રહેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના કાર્યાલયના નાયબ વડા કિરીલો ટિમોશેન્કોએ કહ્યું: “રશિયા યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું નથી અને મારિયુપોલ અને આસપાસના વિસ્તારોમાં ગોળીબાર ચાલુ છે.”

અમે 10,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા – યુક્રેનનો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિએ શનિવારે દાવો કર્યો હતો કે યુદ્ધના 10 દિવસમાં 10,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં રશિયન હથિયારોનો નાશ કરવાની પણ વાત કરવામાં આવી છે. નાશ પામેલા હથિયારોમાં 40 હેલિકોપ્ટર, 269 ટેન્ક, 39 સૈન્ય વિમાનો, 60 ઈંધણ ટેન્ક, 2 બોટ અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે. જો કે, આ દાવાની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી. રશિયા દ્વારા જાનહાનિ વિશે કોઈ સત્તાવાર માહિતી શેયર કરવામાં આવી નથી. જો કે બુધવારે રશિયાએ આ લડાઈમાં લગભગ 500 સૈનિકોના મોતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો :આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો :Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, જો યુક્રેન યુદ્ધમાં હારશે તો યુરોપ પણ નહીં બચે…

Follow Us
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
g clip-path="url(#clip0_868_265)">