AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, જો યુક્રેન યુદ્ધમાં હારશે તો યુરોપ પણ નહીં બચે…

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ ટકી શકશે નહીં. તેમણે વિરોધીઓને કહ્યું, 'ચુપ ન રહો. બહાર નીકળો યુક્રેનને સપોર્ટ કરો. અમને સ્વતંત્રતા અપાવવામાં અમને ટેકો આપો.

Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, જો યુક્રેન યુદ્ધમાં હારશે તો યુરોપ પણ નહીં બચે...
Volodymyr-Zelensky (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:34 AM
Share

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી(Ukrainian President Volodymyr Zelensky) એ શનિવારે યુરોપના મોટા શહેરોમાં હજારો પ્રદર્શનકારીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ પણ બચશે નહીં. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિરોધીઓને કહ્યું, ‘ચુપ ન રહો. બહાર નીકળો યુક્રેનને સપોર્ટ કરો. અમને સ્વતંત્રતા અપાવવામાં અમને ટેકો આપો. આ માત્ર રશિયન સૈનિકો પર વિજય જ નહીં, પણ અંધકાર પર પ્રકાશનો વિજય હશે. સારાનો અનિષ્ટ પર વિજય થશે. યુક્રેનિયન ભૂમિ પર હવે જે થઈ રહ્યું છે તેના પર સ્વતંત્રતા જીતશે.

ઝેલેન્સકીએ કહ્યુ કે “જો યુક્રેન યુદ્ધમાં ફસાય તો આખું યુરોપ ડગમગશે અને જો આપણે આ યુદ્ધમાં જીતી જઈએ, તો તે લોકશાહીની મહાન જીત હશે, આપણા મૂલ્યોની સ્વતંત્રતાની જીત હશે.” હું મારા લોકોમાં વિશ્વાસ કરું છું, હું તમારામાં વિશ્વાસ કરું છું.

ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને no-fly zone જાહેર કરવા વિનંતી કરી

અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને ‘નો-ફ્લાય ઝોન’ તરીકે જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત વિમાનો પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેના કારણે પરમાણુ હથિયારો લેસ રશિયા સાથે યુરોપિયન દેશોનું મોટા પાયે યુદ્ધ થશે.

પુતિને નાટોને ધમકી આપી

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ફરી એકવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પુતિને મહિલા પાયલોટ સાથેની બેઠકમાં આ ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમારું ન્યુક્લિયર ફોર્સ હાઈ એલર્ટ પર છે. પુતિને બ્રિટિશ મંત્રીને ટાંકીને નાટોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે નાટો યુદ્ધમાં સામેલ થઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવું એ યુદ્ધની ઘોષણા જેવું છે. તમને જણાવી દઈએ કે અગાઉ નાટોએ કહ્યું હતું કે તે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 10મા દિવસે 1.2 મિલિયન લોકોએ યુક્રેન છોડ્યું

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે.

યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. આ દેશની કુલ વસ્તીના બે ટકા છે. યુક્રેન છોડનારા આ લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, કારણ કે દેશની 18-60 વર્ષની વયના પુરુષોની વસ્તીને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?

આ પણ વાંચો :રશિયા -યુક્રેન યુદ્ધની ગંભીર અસરો વચ્ચે કેવી રીતે પોર્ટફોલિયોને “મોંઘવારી પ્રુફ” બનાવવો? જાણો નિષ્ણાતોનો જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">