AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

PSIની પ્રિલિમનરીની પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:36 AM
Share

આજે PSIની ભરતીની (PSI Exam) પ્રિલિમનરી લેખિત પરીક્ષા (Preliminary Written examination) છે. રાજ્યના કુલ 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો (Examination Centers) પર પોલીસનો કડક બંદોબસ્ત તો રહેશે જ સાથે દરેક પરીક્ષા ખંડમાં જામરની વ્યવસ્થા કરાઈ છે.

પરીક્ષા દરમિયાન બે કલાક સુધી ઈન્ટરનેટ તથા મોબાઈલ કનેક્ટિવિટી બંધ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની એજન્સી આ સિસ્ટમ પર સતત વોચ કરશે. જ્યારે પેપર લઈ જતા તમામ વાહનોમાં GPS અને કેન્દ્રો પર cctv કેમેરાથી નજર રખાશે તો PSIની પ્રિલિમનરીની પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

દરેક કેન્દ્રો પર SOPનું પાલન ફરજીયાત

આ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિકાસ સહાયે જણાવ્યું કે શિક્ષકોને પરીક્ષા દરમિયાન કેવી બાબતો પર ધ્યાન આપવું તે માટે એક 75 પાનાની ખાસ SOP બહાર પડાઈ છે. જેમાં વર્ગખંડ નિરીક્ષકની, બોર્ડની, કેન્દ્ર સંચાલકની શું જવાબદારી છે તથા, દરેક કેન્દ્ર પર પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરાઈ છે. આ તમામ વ્યવસ્થાની સૂચના SOPમાં કરાઈ છે અને તેની કોપી દરેક કેન્દ્રો પર મોકલી આપવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો 

પરીક્ષા દરમિયાન દરેક નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદમાં ખાસ વ્યવસ્થા થઈ છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ સહિતની દુકાનો બંધ કરવા સૂચના આપી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી

PSIમાં 1,382 પદ માટે આ ભરતી બહાર પડાઈ છે, જેમાં બિનહથિયારી PSIની 202 જગ્યા છે. બિનહથિયારી PSI (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી PSI (પુરુષ)ની 72 જગ્યા, ઈન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1,382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચો- Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો- Dwarka : ઓખા ખાતે સાગર પરિક્રમા-2022 કાર્યક્રમ યોજાયો, 22 લાભાર્થીઓને 20 લાખની સહાય વિતરણ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">