AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી

શ્રીલંકામાં સરકાર ( sri lanka government) સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંના દક્ષિણ પશ્ચિમ રામબુકાના વિસ્તારમાં ઈંધણના ભાવ વધારા સામે પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિનુ પોલીસના ગોળીબારમાં મોત થયુ હતુ.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:49 AM
Share

શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ (Srilanka Crisis) અટકવાનું નામ નથી લઈ રહ્યો. નિઃશસ્ત્ર ટોળાને વિખેરવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં (Firing) એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ રામબુકાના ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં વધારા સામે પ્રદર્શન દરમિયાન હિંસા પછી લાદવામાં આવેલ કર્ફ્યુ (Curfew) બુધવારે પણ ચાલુ રહ્યું હતુ. શ્રીલંકન પોલીસે આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રામબુક્કાનાની કેગલે હોસ્પિટલમાં દાખલ 13 પ્રદર્શનકારીઓમાંથી ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનામાં 15 પોલીસ કર્મચારીઓ (Srilanka Police) પણ ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ વડા ચંદન વિક્રમરત્નેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સંવેદનશીલ વિસ્તારમાં લાદવામાં આવેલ કર્ફ્યુ ચાલુ રહેશે. ઉપરાંત તેમણે કહ્યું કે, વિરોધીઓ ગઈ કાલે હિંસક થઈ ગયા અને રેલ્વે ટ્રેક(Railway Track)  બ્લોક કરી દીધા હતા,તે જૂના દરે ઇંધણ આપવાની માંગ કરી રહ્યો હતા. તેણે કહ્યું કે જ્યારે પોલીસે બે ઇંધણના ટેન્કરની વ્યવસ્થા કરી, ત્યારે પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કરીને એક વાહનની બેટરી કાઢી નાખી. બાદમાં પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

ભીડને રોકવા માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી

શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને લોકો સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન(Srilanka Protest)  કરી રહ્યા છે. આવા પ્રદર્શનમાં બુધાવરે એક વ્યક્તિનું મોત થયું હતું. જાહેર સુરક્ષા મંત્રાલયના ટોચના અધિકારી જગત અલ્વિસે જણાવ્યું હતું કે, વિરોધીઓએ 33,000 લિટર ઇંધણથી ભરેલા ટેન્કરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને આમ કરતા રોકવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. એલ્વિસે કહ્યું કે પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરવા માટે અતિશય બળનો ઉપયોગ કર્યો કે કેમ તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

યુએસ, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્રના દૂતાવાસોએ પોલીસ ગોળીબારની નિંદા કરતા નિવેદનો જાહેર કર્યા છે. શ્રીલંકામાં સોમવારે રાત્રે ઇંધણની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંગળવારથી ઘણી જગ્યાએ લોકોએ વિરોધમાં પ્રદર્શન શરૂ કર્યું હતું. ઇંધણની અછતને કારણે ટાપુ રાષ્ટ્રમાં તેલ એકમો નિયમિતપણે ભાવમાં વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચો : America: અમેરિકામાં મોટી ઘટના, વોશિંગ્ટન ડીસીમાં પેરુના દૂતાવાસની અંદર ફાયરિંગ, પોલીસે ઘૂસણખોરને મારી ગોળી

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">