AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી

શ્રીલંકામાં સરકાર ( sri lanka government) સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંના દક્ષિણ પશ્ચિમ રામબુકાના વિસ્તારમાં ઈંધણના ભાવ વધારા સામે પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિનુ પોલીસના ગોળીબારમાં મોત થયુ હતુ.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ યથાવત, પોલીસના ગોળીબારમાં એક પ્રદર્શનકારીનુ મોત થતા સ્થિતિ વણસી
Srilanka Crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:49 AM
Share

શ્રીલંકામાં સરકાર સામેનો વિરોધ (Srilanka Crisis) અટકવાનું નામ નથી લઈ રહ્યો. નિઃશસ્ત્ર ટોળાને વિખેરવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં (Firing) એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ રામબુકાના ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં વધારા સામે પ્રદર્શન દરમિયાન હિંસા પછી લાદવામાં આવેલ કર્ફ્યુ (Curfew) બુધવારે પણ ચાલુ રહ્યું હતુ. શ્રીલંકન પોલીસે આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રામબુક્કાનાની કેગલે હોસ્પિટલમાં દાખલ 13 પ્રદર્શનકારીઓમાંથી ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનામાં 15 પોલીસ કર્મચારીઓ (Srilanka Police) પણ ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ વડા ચંદન વિક્રમરત્નેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સંવેદનશીલ વિસ્તારમાં લાદવામાં આવેલ કર્ફ્યુ ચાલુ રહેશે. ઉપરાંત તેમણે કહ્યું કે, વિરોધીઓ ગઈ કાલે હિંસક થઈ ગયા અને રેલ્વે ટ્રેક(Railway Track)  બ્લોક કરી દીધા હતા,તે જૂના દરે ઇંધણ આપવાની માંગ કરી રહ્યો હતા. તેણે કહ્યું કે જ્યારે પોલીસે બે ઇંધણના ટેન્કરની વ્યવસ્થા કરી, ત્યારે પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કરીને એક વાહનની બેટરી કાઢી નાખી. બાદમાં પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

ભીડને રોકવા માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી

શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને લોકો સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન(Srilanka Protest)  કરી રહ્યા છે. આવા પ્રદર્શનમાં બુધાવરે એક વ્યક્તિનું મોત થયું હતું. જાહેર સુરક્ષા મંત્રાલયના ટોચના અધિકારી જગત અલ્વિસે જણાવ્યું હતું કે, વિરોધીઓએ 33,000 લિટર ઇંધણથી ભરેલા ટેન્કરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને આમ કરતા રોકવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. એલ્વિસે કહ્યું કે પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરવા માટે અતિશય બળનો ઉપયોગ કર્યો કે કેમ તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

યુએસ, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્રના દૂતાવાસોએ પોલીસ ગોળીબારની નિંદા કરતા નિવેદનો જાહેર કર્યા છે. શ્રીલંકામાં સોમવારે રાત્રે ઇંધણની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંગળવારથી ઘણી જગ્યાએ લોકોએ વિરોધમાં પ્રદર્શન શરૂ કર્યું હતું. ઇંધણની અછતને કારણે ટાપુ રાષ્ટ્રમાં તેલ એકમો નિયમિતપણે ભાવમાં વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચો : America: અમેરિકામાં મોટી ઘટના, વોશિંગ્ટન ડીસીમાં પેરુના દૂતાવાસની અંદર ફાયરિંગ, પોલીસે ઘૂસણખોરને મારી ગોળી

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">