AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાએ ‘બેલિસ્ટિક મિસાઇલ’નું કર્યું પરીક્ષણ, પુતિને કહ્યું- હવે દુશ્મન બે વાર વિચારશે

Russia Sarmat Intercontinental Ballistic Missile: યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ (Russia) સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ માટે સેનાને અભિનંદન પાઠવ્યા છે.

રશિયાએ 'બેલિસ્ટિક મિસાઇલ'નું કર્યું પરીક્ષણ, પુતિને કહ્યું- હવે દુશ્મન બે વાર વિચારશે
Russ President Vladimir PutinImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 11:29 PM
Share

રશિયાએ બુધવારે કહ્યું કે તેણે તેની સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું (Intercontinental Ballistic Missile) સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું કે આ વ્યૂહાત્મક રીતે જરૂરી હથિયાર વિશે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) કહ્યું કે હવે દુશ્મન બે વાર વિચારશે. તેણે કહ્યું કે દુનિયામાં આવી મિસાઈલ કોઈ પાસે નથી. તેમણે યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાને ધમકી આપવાનો પ્રયાસ કરનારાઓને પણ ચેતવણી આપી હતી.

આ મિસાઈલનું પરિક્ષણ રશિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પ્લેસ્ટસ્કમાં કરવામાં આવ્યું છે. તે દૂર પૂર્વમાં સ્થિત કામચત્કા દ્વીપકલ્પ પર તેના લક્ષ્ય પર પહોચી ગઈ છે. આ દરમિયાન પુતિને સેનાને કહ્યું, ‘સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલના સફળ પ્રક્ષેપણ માટે હું તમને અભિનંદન આપું છું. તે ખરેખર એક અનોખું શસ્ત્ર છે, જે આપણા સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતાને મજબૂત બનાવશે. આ બાહ્ય જોખમોથી રશિયાની સુરક્ષાને મજબૂત બનાવશે અને હવેથી જેઓ રશિયાને ધમકી આપવા માટે આક્રમક નિવેદનો આપે છે તેઓ બે વાર વિચારશે.

તણાવ વચ્ચે કરવામાં આવ્યુ પરીક્ષણ

સરમત નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. યુએસ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ અનુસાર, રશિયા દરેક મિસાઈલને 10 કે તેથી વધુ વોરહેડ્સ સાથે તૈનાત કરશે. આ મિસાઈલ ઘણા વર્ષોથી બનાવવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં તેનું ટેસ્ટ-લોન્ચ પશ્ચિમ માટે આશ્ચર્યજનક નથી. પરંતુ આ પરીક્ષણ એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય તણાવ ચરમ પર છે.

ફેબ્રુઆરીથી યુક્રેન સાથે યુદ્ધ ચાલુ છે

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના મોટા ભાગના શહેરો પર હુમલો કરીને સંપૂર્ણપણે તબાહ કરી નાખ્યા છે. દેશમાં લગભગ 70 લાખ લોકો વિસ્થાપિત થયા છે, 50 લાખ લોકોએ દેશ છોડી દીધો છે અને 13 મિલિયન લોકો હજુ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. આ સિવાય બંને તરફના હજારો સૈનિકો માર્યા ગયા છે.

યુક્રેનના હજારો નાગરિકોએ પણ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે. અહીંના ઘણા શહેરો પર કબજો જમાવવા દરમિયાન રશિયન સૈનિકોએ કથિત રીતે નાગરિકોની હત્યા કરી છે. રશિયન સૈનિકો પીછેહઠ કર્યા પછી જ્યારે યુક્રેનિયન સૈનિકો ત્યાં ગયા, ત્યારે તેઓને સામૂહિક કબરોમાં એકસાથે ફેકાયેલા સેંકડો મૃતદેહો મળ્યા.

આ પણ વાંચો :  Israel Palestine Conflict: તણાવ વચ્ચે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ધ્વજ લહેરાવતા મોરચો કાઢશે ઈઝરાયેલના યહૂદી, ભડકી શકે છે હિંસા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">