શ્રીલંકાના આ અહેવાલે ભારતીય ચા કંપનીના શેર્સના ભાવ આસમાને પહોંચાડ્યા, જાણો વિગતવાર

મુખ્ય ચા ઉત્પાદક કંપની મેકલિયોડ રસેલ(McLeod Russel) ના શેરમાં પણ બુધવારે વધારો થયો હતો. શેર 1.36 ટકાના વધારા સાથે રૂ.26 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં 14.4 ટકાનો વધારો થયો છે.

શ્રીલંકાના આ અહેવાલે ભારતીય ચા કંપનીના શેર્સના ભાવ આસમાને પહોંચાડ્યા, જાણો વિગતવાર
ચા કંપનીઓના શેરમાં ઉછાળો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:01 PM

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર(Share Market)માં ચા કંપનીઓના શેર(Tea Company Shares)માં તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ ટોચની છ ચા કંપનીઓમાંથી પાંચના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ચા કંપનીઓના શેરમાં 15 થી 28 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્વના અગ્રણી ચા ઉત્પાદક શ્રીલંકામાં સર્જાયેલી આર્થિક દુર્દશાનો લાભ ભારતીય ચાને મળી રહ્યો છે. શ્રીલંકાની આર્થિક દુર્દશાએ તેના ચાના ઉત્પાદનને પણ અસર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેની ચાની નિકાસ પર પણ અસર પડી રહી છે.ભારતે હવે એવા દેશોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે જ્યાં શ્રીલંકા ચાની નિકાસ કરે છે. આગામી દિવસોમાં ભારતીય ચાની નિકાસમાં તેજી આવવાની ધારણા છે. આ જ કારણ છે કે ભારતીય ચા ઉદ્યોગ આગળ જતાં તેના બિઝનેસમાં સારી તેજીની અપેક્ષા રાખે છે. આ આશા ચા કંપનીઓના શેરને વેગ આપી રહી છે.

ચા કંપનીઓના શેરમાં તેજી

મુખ્ય ચા ઉત્પાદક કંપની મેકલિયોડ રસેલ(McLeod Russel) ના શેરમાં પણ બુધવારે વધારો થયો હતો. શેર 1.36 ટકાના વધારા સાથે રૂ.26 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં 14.4 ટકાનો વધારો થયો છે. જય શ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(Jay Shree and Tea Industries)નો સ્ટોક પણ બુધવારે 4.27 ટકા વધીને રૂ.115.95ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં 19 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં આ શેરે 15 ટકા વળતર આપ્યું છે.

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products)ના શેરમાં પણ આજે વધારો જારી રહ્યો હતો. શેર આજે 2.37 ટકાના ઉછાળા સાથે રૂ.810.10 પર બંધ રહ્યો હતો. આ શેરે એક મહિનામાં 8.33 ટકા વળતર આપ્યું છે. બુધવારે ધુનસેરી ટી ઇન્ડસ્ટ્રીઝ(Dhunseri Tea Industries)ના શેરમાં પણ વધારો થયો હતો અને શેર રૂ. 309.80 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં લગભગ 21 ટકાનો વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રોસેલ ઈન્ડિયા(Rossell India)ના શેરમાં પણ તેજીનું વલણ છે. બુધવારે શેર 3.76 ટકાના વધારા સાથે રૂ. 195.75 પર બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં આ સ્ટોક એકવાર રૂ. 200ના સ્તરને પાર કરી ગયો હતો. એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં લગભગ 19 ટકાનો ઉછાળો આવ્યો છે.

ગુડરિક ગ્રુપ(Goodricke Group)ના શેરે છેલ્લા એક મહિનામાં સૌથી વધુ વળતર આપ્યું છે. તેની કિંમત એક મહિનામાં 28.17 ટકા વધી છે. બુધવારે તેની કિંમત 0.98 ટકાના વધારા સાથે રૂ. 263.90 પર બંધ થઈ.

તેજીનું કારણ શું છે ?

બજારના જાણકારોનું કહેવું છે કે શ્રીલંકાથી ચાનો પુરવઠો ઘટ્યો છે. ભારત આની ભરપાઈ કરી શકે છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર 2019માં શ્રીલંકાએ તુર્કીને 167 મિલિયન ડોલર, રશિયાને 132 મિલિયન ડોલર , ઈરાકને 104 મિલિયન ડોલર અને ચીનને 55 મિલિયન ડોલર ચાની નિકાસ કરી હતી. શ્રીલંકા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની સાથે સાથે ખાદ્ય ચીજોની પણ અછત છે. રોજેરોજ લાંબો વીજ કાપ છે. તેની અસર ચાના ઉત્પાદન પર પડી છે. ભારત ઈરાન, તુર્કી, ઈરાક જેવા દેશોમાં ચાની નિકાસ વધારી શકે છે. અત્યારે આ દેશોમાં ચાની નિકાસને લઈને કેટલીક સમસ્યાઓ છે. સરકાર તેમને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને આ દેશોમાં ભારતીય ચા શ્રીલંકાની ચાનો વિકલ્પ બની શકે.

આ પણ વાંચો : એચડીએફસી કેપિટલ એડવાઈઝરમાં પોતાનો 10 ટકા હિસ્સો વેચશે HDFC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે 184 કરોડમાં ડીલ

આ પણ વાંચો : ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક, 45% દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવાની દરખાસ્ત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">