AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : સિક્રેટ મિટિંગ અને ભારત વિરોધી Plan-k…શું પાકિસ્તાની એજન્સી ISI ખાલિસ્તાનીઓને કરી રહી છે મદદ?

પાંચ દિવસ પહેલા જ ISI એજન્ટો કેનેડાના વાનકુવરમાં ઘણા ખાલિસ્તાની જૂથોના નેતાઓને મળ્યા હતા. તેને સિક્રેટ મિટિંગ ગણાવી હતી. આ બેઠકમાં શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુન ઉપરાંત ઘણા ખાલિસ્તાની જૂથોના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે મોટા પાયા પર ભારત વિરોધી પ્રચાર ફેલાવવાની રણનીતિ બનાવી, જેને 'પ્લાન-કે' નામ આપવામાં આવ્યું.

Pakistan News : સિક્રેટ મિટિંગ અને ભારત વિરોધી Plan-k...શું પાકિસ્તાની એજન્સી ISI ખાલિસ્તાનીઓને કરી રહી છે મદદ?
Pakistan News
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:39 PM
Share

Pakistan News : ભારત અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એન્ટ્રી મારી છે. સમગ્ર મામલામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની લિંક મળી આવી છે. ઘણા મીડિયા અહેવાલોમાં પુરાવા પણ આપવામાં આવ્યા છે જે કેનેડાના ખાલિસ્તાની જૂથ અને ISI વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરે છે. આ દરમિયાન, પાકિસ્તાને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે ભારત અને કેનેડાના મામલાઓ પર નજર રાખી રહ્યું છે અને આ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરની કેટલીક ઘટનાઓ તેની પુષ્ટિ કરે છે.

આ પણ વાંચો Pakistan News: પાકિસ્તાનમાં મહિલાઓ પાસે કેટલા અધિકારો અને અનામત છે? જાણો સંપૂર્ણ વિગત

ચાલો જાણીએ કે પાકિસ્તાને પોતાના ભારત વિરોધી નિવેદનમાં શું કહ્યું, શું છે ભારત વિરોધી અભિયાન plan-k અને એવા કયા સંકેતો છે જે સાબિત કરે છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કેનેડાના ખાલિસ્તાનીઓને ફંડિંગ કરી રહી છે ?

ભારત-કેનેડા મુદ્દે પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાને નિજ્જરની હત્યામાં ભારતની કથિત ભૂમિકાને આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજ્ય સંપ્રભુતાના યુએન સિદ્ધાંતનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝેહરા બલોચે કહ્યું કે આ ઘટના એક અવિચારી અને બેજવાબદારીભર્યું કૃત્ય છે જે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરીકે ભારતના દાવાઓ પર સવાલ ઉઠાવે છે.

પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કથિત રીતે કહ્યું હતું કે કેનેડાના ભારત પરના આરોપોથી ઈસ્લામાબાદને આશ્ચર્ય થયું નથી. તો, અમેરિકાએ તેને ભારત અને કેનેડા વચ્ચે ખૂબ જ નાજુક મામલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બંને દેશોએ આ મામલાને ધ્યાનથી ઉકેલવાની જરૂર છે. આમ છતાં પાકિસ્તાન તરફથી એક પછી એક નિવેદન સામે આવવા એ ચોંકાવનારી વાત છે.

પાકિસ્તાની ISI એજન્ટો અને ખાલિસ્તાનીઓનો ભારત વિરોધી પ્લાન-કે શું છે ?

ઘણા મીડિયા અહેવાલોમાં, ભારતીય ગુપ્તચર સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા લોકો વેનકુવરમાં પાકિસ્તાનના ISI એજન્ટો પાસેથી ભંડોળ મેળવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પાંચ દિવસ પહેલા જ ISI એજન્ટો કેનેડાના વાનકુવરમાં ઘણા ખાલિસ્તાની જૂથોના નેતાઓને મળ્યા હતા. તેને ગુપ્ત બેઠક ગણાવી હતી. આ બેઠકમાં શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુન ઉપરાંત ઘણા ખાલિસ્તાની જૂથોના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે મોટા પાયા પર ભારત વિરોધી પ્રચાર ફેલાવવાની રણનીતિ બનાવી, જેને ‘પ્લાન-કે’ નામ આપવામાં આવ્યું.

શું ISI ખાલિસ્તાનીઓને ભંડોળ પૂરું પાડે છે ?

2020માં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અમેરિકાના રહેવાસી પન્નુ હવે હિન્દુઓને કેનેડાથી પાછા ફરવાની ધમકી આપી રહ્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ પન્નુ પર કેનેડા છોડો અને ભારત જાઓના નારા આપવાનો આરોપ છે. તાજેતરની ઘટનાઓ અને ગુપ્ત બેઠકોથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે પાકિસ્તાની એજન્સી ISI પ્લાન-Kની મદદથી પોતાની યોજનાઓને અંજામ આપી રહી છે અને ભારત વિરોધી શક્તિઓને મજબૂત કરવામાં લાગેલી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">