AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Canada Trade: ભારત કેનેડાને શું વેચે છે ? જાણો બંને દેશો વચ્ચે કઇ-કઇ વસ્તુની થાય છે આયાત- નિકાસ

India-Canada Relations: વેપારના સંદર્ભમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યાર સુધી સારા રહ્યા છે. ભારત કેનેડાનું 10મું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે. બંને દેશો વચ્ચે આયાત-નિકાસ લગભગ સમાન રહી છે.ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનીઓને લઈને વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ વિવાદ ક્યારેય એટલો વધી ગયો ન હતો કે તે રાજદ્વારીઓને હાંકી કાઢવા અથવા વેપાર બંધ કરવા સુધી પહોંચી ગયો હતો.

India Canada Trade: ભારત કેનેડાને શું વેચે છે ? જાણો બંને દેશો વચ્ચે કઇ-કઇ વસ્તુની થાય છે આયાત- નિકાસ
India Canada Trade
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 12:56 PM
Share

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનીઓને લઈને વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ વિવાદ ક્યારેય એટલો વધી ગયો ન હતો કે તે રાજદ્વારીઓને હાંકી કાઢવા અથવા વેપાર બંધ કરવા સુધી પહોંચી ગયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનમાં આ સ્થિતિ સામે આવી છે. ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને નિજ્જરની હત્યા વચ્ચેના કનેક્શનની તપાસ કરી રહી છે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને વાહિયાત ગણાવ્યા અને કહ્યું કે કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારતની કોઈ સંડોવણી નથી. જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. હવે તેની અસર વેપાર પર પણ જોવા મળી શકે છે. કારણ કે બંને દેશો એકબીજા પાસેથી ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ કરે છે.

આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

બંને દેશો વચ્ચે આયાત-નિકાસ લગભગ સમાન રહી છે. પરંતુ જો આ વિવાદ વધુ વકરશે તો તેની પ્રતિકૂળ અસર સૌથી વધુ કેનેડા પર પડશે. કારણ કે મોટાભાગના ભારતીય પંજાબીઓ કેનેડામાં રહે છે. જેમની ત્યાંની અર્થવ્યવસ્થામાં મોટો હિસ્સો છે. એટલું જ નહીં મોટાભાગના ભારતીયો કેનેડામાં કામ કરે છે. ત્યાંના વેપારી સમુદાયમાં પણ તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. આ સિવાય દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જાય છે. જેમાંથી તગડી ફી વસૂલવામાં આવે છે.

અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023 માં, ભારતે કેનેડામાં 4.11 અબજ ડોલર એટલે કે લગભગ 34,000 કરોડ રૂપિયાના માલની નિકાસ કરી હતી. જ્યારે ભારતે કેનેડામાંથી આશરે 4.17 અબજ ડોલર એટલે કે રૂ. 35,000 કરોડના માલની આયાત કરી છે. આંકડા મુજબ, એપ્રિલ 2000 થી માર્ચ 2023 સુધી, કેનેડાએ ભારતમાં $3,306 મિલિયનનું રોકાણ કર્યું છે. તે ભારતમાં રોકાણ કરનાર 18મો સૌથી મોટો દેશ છે.

6 મહિનામાં $8.16 બિલિયનનો બિઝનેસ

જો આપણે ગયા વર્ષની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2021-22માં ભારત અને કેનેડા વચ્ચે $7 બિલિયનનો વેપાર થયો હતો. આ વર્ષની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં બંને દેશો વચ્ચે 8.16 અબજ ડોલરનો વેપાર થયો છે. આમાં ભારતે 4.17 અબજ ડોલર એટલે કે 35,000 કરોડ રૂપિયાની આયાત કરી છે. રિપોર્ટ અનુસાર કેનેડાની 1000થી વધુ કંપનીઓ ભારતીય માર્કેટમાં બિઝનેસ કરી રહી છે.

કેનેડા ભારત પાસેથી શું ખરીદે છે ?

ભારત પાસેથી કેનેડા કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, અનસ્ટિચ્ડ ફેબ્રિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ, ગાર્મેન્ટ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, લાઇટ એન્જિનિયરિંગ ગુડ્સ, હીરા, કિંમતી પથ્થરો, લોખંડ, સ્ટીલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ જેવી કે ઓટો પાર્ટ્સ, એરક્રાફ્ટ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ ખરીદે છે. આટલું મોટું રોકાણ બંને દેશો વચ્ચે વેપારમાં સરળતાને કારણે થાય છે.

કેનેડા ભારતને શું વેચે છે

જો આપણે ભારતની વાત કરીએ તો તે કેનેડાથી કોલસો, ખાતર, કોક, કઠોળ, પોટાશ, લાકડું, ખાણ ઉત્પાદનો અને એલ્યુમિનિયમ જેવી વસ્તુઓની આયાત કરે છે. ભારત સૌથી વધુ દાળ કેનેડા પાસેથી ખરીદે છે. જો બંને દેશો વચ્ચેના વેપારને અસર થશે તો તેની સીધી અસર કૃષિ અને બાગાયતના વ્યવસાય સાથે સંકળાયેલા કેનેડિયન ખેડૂતો પર પડશે. કારણ કે આ વર્ષ 2017માં બન્યું છે જ્યારે પીળા વટાણાની આયાત ટેરિફ વધારીને 50 ટકા કરવામાં આવી હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">