પાકિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ, નવાઝ શરીફની જાહેરાત બાદ આસિફ અલી ઝરદારી પહોંચ્યા લાહોર

પૂર્વ પીએમ નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને ઓછામાં ઓછા 10 વર્ષની સ્થિરતાની જરૂર છે. જેઓ સંઘર્ષના મૂડમાં છે તેમને હું કહેવા માંગુ છું કે અમારે કોઈ યુદ્ધ નથી જોઈતું. પાકિસ્તાન આ સહન કરી શકે તેમ નથી. આપણે બધાએ સાથે બેસીને પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ અને દેશને 21મી સદીમાં લઈ જવો જોઈએ.

પાકિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ, નવાઝ શરીફની જાહેરાત બાદ આસિફ અલી ઝરદારી પહોંચ્યા લાહોર
nawaz sharif
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 10:16 PM

પાકિસ્તાનમાં મતગણતરી તેના અંતિમ તબક્કામાં છે અને ઈમરાન ખાનની પાર્ટીની સાથે નવાઝ શરીફે પણ પોતાની પાર્ટીની જીતના મોટા દાવા કર્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ટોચના નેતા નવાઝ શરીફે કહ્યું છે કે તેમની પાર્ટી સામાન્ય ચૂંટણી પછી સિંગલ પાર્ટી તરીકે ઉભરી આવી છે. તેમણે પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકે નહીં. શરીફની જાહેરાત બાદ પાકિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે શુક્રવારે લાહોરમાં સંબોધન દરમિયાન કહ્યું કે અમે તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના આદેશનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે દેશને સંકટમાંથી બહાર કાઢવાની જવાબદારી પીએમએલ-એનની છે. તેમણે દેશમાં નવી સરકાર બનાવવાના પ્રયાસોની પણ જાહેરાત કરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, પીપીપીના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારી લાહોર પહોંચી ગયા છે અને સરકારની રચના અંગે પીએમએલ-એનના ટોચના નેતાઓને મળે તેવી શક્યતા છે. કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવવાના નવાઝ શરીફના પ્રસ્તાવ પછી આ સમીકરણો સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પીએમએલ-એનના વડા નવાઝ શરીફે કહ્યું કે તેઓ તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના આદેશનું સન્માન કરે છે અને દેશના ભવિષ્ય માટે તેમને ભૂતપૂર્વ શાસક પક્ષ સાથે મળીને આવવા આમંત્રણ આપે છે. ભાવિ ‘ગઠબંધન સરકાર’નો સંકેત આપતા નવાઝ શરીફે કહ્યું કે સરકાર બનાવવા અને પાકિસ્તાનને વર્તમાન સંકટમાંથી બહાર કાઢવા માટે તમામ પક્ષોની જવાબદારી છે.

ત્રણ વખત પીએમ રહી ચૂકેલા શરીફે કહ્યું કે તે માત્ર મારી કે ઈશાક ડારની જવાબદારી નથી. આ દરેકનું પાકિસ્તાન છે. જો આપણે બધા સાથે મળીને કામ કરીશું તો જ પાકિસ્તાન આ સંકટમાંથી બહાર આવી શકશે. મતદાનના બીજા દિવસે પોતાના સમર્થકોને સંબોધતા નવાઝ શરીફે કહ્યું કે તેમની સરકાર સમગ્ર વિશ્વ સાથે ખાસ કરીને પાકિસ્તાનના નજીકના પડોશીઓ સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે.

આ પણ વાંચો પાકિસ્તાનમાં ચૂંટણી બાદ ગૃહયુદ્ધની શક્યતા, આર્મી ચીફે ગોટાળો કર્યાનું અનુમાન, જિન્નાનો દેશ ફરી બાંગ્લાદેશ બનશે?

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">