AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાને નિશાને બનાવી તેને જવાબ આપ્યો છે. આ હુમલા બાદ પાડોશી દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું
| Updated on: May 10, 2025 | 1:19 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવે હવે ગંભીર રુપ લીધું છે. ભારતે પાકિસ્તાનના તમામ હુમલાને નાકામ કર્યા છે. પાકિસ્તાને જેસલમેરમાં 9, અમૃતસરમાં 15 ડ્રેન ફેક્યા હતા. આ સાથે શ્રીનગર એરપોર્ટ અને અવંતીપોરા એરબેઝને નિશાન બનાવ્યા હતા. પરંતુ તેનો દરેક પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુવારથી વધારે ડ્રોન હુમલા શુક્રવારના રોજ થયા છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો અને ગોળીબાર શરુ કર્યો હતો. જમ્મુમાં તો સીએમ અબ્દુલ્લાએ પુષ્ટિ કરી હતી કે, ધમાકાના અવાજો સંભળાય રહ્યા છે. જમ્મુ-શ્રીનગર, પઠાણકોટ,ફિરોઝપુરમાં બ્લેકઆઉટ છે. સતત સાયરન વાગી રહ્યા છે. ફિરોઝપુરમાં ભારતીય સેનાએ કેટલાક પાકિસ્તાની ડ્રોનનો નાશ કર્યો હતો. આ સાથે પોખરણમાં પણ ડ્રોન હુમલાના સમાચાર છે. બીજી બાજુ પીએમ મોદીએ 3 સેના પ્રમુખો, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અજીત ડોભાલની સાથે બેઠક કરી હતી. રાજૌરીમાં બ્લેકઆઉટ વચ્ચે ફાયરિંગના અવાજો આવી રહ્યા છે.

26 સ્થળો પર ડ્રોન હુમલા

શુક્રવારે પાકિસ્તાને સતત બીજી રાત્રે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળો પર ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ,દુશ્મનના એરબેઝ અને એરફોર્સ બેઝ સહિત મહત્વપૂર્ણ સ્થાનો પરના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં રાત્રિના અંધારામાં કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ રાજ્યોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ,પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) નજીક 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આમાં શંકાસ્પદ હથિયાળ વાળા ડ્રોનનો સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવારે 15 મે સુધી ડ્રોન અને ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">