AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાને નિશાને બનાવી તેને જવાબ આપ્યો છે. આ હુમલા બાદ પાડોશી દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

India-Pakistan War : ભારતે પાકિસ્તાનને ડ્રોન હુમલાનો એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાન ઉભી પૂંછડીએ ભાગ્યું
Follow Us:
| Updated on: May 10, 2025 | 1:19 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવે હવે ગંભીર રુપ લીધું છે. ભારતે પાકિસ્તાનના તમામ હુમલાને નાકામ કર્યા છે. પાકિસ્તાને જેસલમેરમાં 9, અમૃતસરમાં 15 ડ્રેન ફેક્યા હતા. આ સાથે શ્રીનગર એરપોર્ટ અને અવંતીપોરા એરબેઝને નિશાન બનાવ્યા હતા. પરંતુ તેનો દરેક પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુવારથી વધારે ડ્રોન હુમલા શુક્રવારના રોજ થયા છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો અને ગોળીબાર શરુ કર્યો હતો. જમ્મુમાં તો સીએમ અબ્દુલ્લાએ પુષ્ટિ કરી હતી કે, ધમાકાના અવાજો સંભળાય રહ્યા છે. જમ્મુ-શ્રીનગર, પઠાણકોટ,ફિરોઝપુરમાં બ્લેકઆઉટ છે. સતત સાયરન વાગી રહ્યા છે. ફિરોઝપુરમાં ભારતીય સેનાએ કેટલાક પાકિસ્તાની ડ્રોનનો નાશ કર્યો હતો. આ સાથે પોખરણમાં પણ ડ્રોન હુમલાના સમાચાર છે. બીજી બાજુ પીએમ મોદીએ 3 સેના પ્રમુખો, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અજીત ડોભાલની સાથે બેઠક કરી હતી. રાજૌરીમાં બ્લેકઆઉટ વચ્ચે ફાયરિંગના અવાજો આવી રહ્યા છે.

26 સ્થળો પર ડ્રોન હુમલા

શુક્રવારે પાકિસ્તાને સતત બીજી રાત્રે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળો પર ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ,દુશ્મનના એરબેઝ અને એરફોર્સ બેઝ સહિત મહત્વપૂર્ણ સ્થાનો પરના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં રાત્રિના અંધારામાં કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ રાજ્યોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ,પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) નજીક 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આમાં શંકાસ્પદ હથિયાળ વાળા ડ્રોનનો સમાવેશ થાય છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવારે 15 મે સુધી ડ્રોન અને ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">