AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે.

PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ
PM Kisan Scheme
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:33 AM
Share

ખેડૂતોને પીએમ કિસાન (PM Kisan) યોજના અંતર્ગત 14 માં હપ્તાની રકમ આગામી દિવસોમાં જમા કરાવવામાં આવશે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમના ખાતામાં ટૂંક સમયમાં 2000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાની રકમ જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી

આ સાથે જ બિહારના ખેડૂતો માટે આ યોજનાનો લાભ મેળવો મુશ્કેલ બની શકે છે. કારણ કે બિહારના 15 લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજનાના આ વખતના હપ્તાથી વંચિત રહી શકે છે. આ યોજનાનો લાભ ન મળવા પાછળ પણ ખેડૂતો જ જવાબદાર રહેશે. યોજનાની જોગવાઈ મૂજબ ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી. આ ઉપરાંત તેઓએ આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક નથી કર્યું.

15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં

મીડિયા રીપોર્ટ્સ અનુસાર બિહારમાં અંદાજે 9 લાખ ખેડૂતોએ e-KYC કરાવ્યું નથી અને 6 લાખ જેટલા ખેડૂતોના આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયા નથી. તેથી પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર, બિહારમાં લગભગ 15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત છે. આ સાથે જે ખેડૂતોએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓ પણ આ યોજનાના લાભોથી વંચિત રહેશે.

બેંક ખાતા સાથે આધાર લિંક કરાવો

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) પર જઈને પણ ઈ-કેવાયસી સાથે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવી શકે છે.

આ પણ વાંચો : Success Story: 3 વીઘામાં ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, ભીંડા અને મરચા વેચીને કરી લાખોની કમાણી

E-KYC કેવી રીતે કરવું

જે ખેડૂતોએ ઓનલાઈન KYC કરવું હોય તો સૌપ્રથમ pmkisan.gov.in પર જાઓ. હોમ પેજની જમણી બાજુએ E-KYC વિકલ્પ દેખાશે. વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો. આ પછી આધાર કાર્ડ સાથે જોડાયેલ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો. છેલ્લે OTP દાખલ કરો અને e-KYCની થઈ જશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">