PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે.

PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ
PM Kisan Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:33 AM

ખેડૂતોને પીએમ કિસાન (PM Kisan) યોજના અંતર્ગત 14 માં હપ્તાની રકમ આગામી દિવસોમાં જમા કરાવવામાં આવશે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમના ખાતામાં ટૂંક સમયમાં 2000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાની રકમ જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી

આ સાથે જ બિહારના ખેડૂતો માટે આ યોજનાનો લાભ મેળવો મુશ્કેલ બની શકે છે. કારણ કે બિહારના 15 લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજનાના આ વખતના હપ્તાથી વંચિત રહી શકે છે. આ યોજનાનો લાભ ન મળવા પાછળ પણ ખેડૂતો જ જવાબદાર રહેશે. યોજનાની જોગવાઈ મૂજબ ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી. આ ઉપરાંત તેઓએ આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક નથી કર્યું.

15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં

મીડિયા રીપોર્ટ્સ અનુસાર બિહારમાં અંદાજે 9 લાખ ખેડૂતોએ e-KYC કરાવ્યું નથી અને 6 લાખ જેટલા ખેડૂતોના આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયા નથી. તેથી પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર, બિહારમાં લગભગ 15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત છે. આ સાથે જે ખેડૂતોએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓ પણ આ યોજનાના લાભોથી વંચિત રહેશે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

બેંક ખાતા સાથે આધાર લિંક કરાવો

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) પર જઈને પણ ઈ-કેવાયસી સાથે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવી શકે છે.

આ પણ વાંચો : Success Story: 3 વીઘામાં ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, ભીંડા અને મરચા વેચીને કરી લાખોની કમાણી

E-KYC કેવી રીતે કરવું

જે ખેડૂતોએ ઓનલાઈન KYC કરવું હોય તો સૌપ્રથમ pmkisan.gov.in પર જાઓ. હોમ પેજની જમણી બાજુએ E-KYC વિકલ્પ દેખાશે. વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો. આ પછી આધાર કાર્ડ સાથે જોડાયેલ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો. છેલ્લે OTP દાખલ કરો અને e-KYCની થઈ જશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">