AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Airstrike on pakistan : લ્યો આવી ગયો વીડિયો.. પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યાના 9 પુરાવા જોઈ લો

ભારતીય સશસ્ત્ર દળોએ “ઓપરેશન સિંદૂર” નામના મોટા પાયે હવાઈ હુમલા પાકિસ્તાન અને પીઓકેમાં કર્યા હતા. આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓ, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોના મુખ્ય કેમ્પનો સમાવેશ થાય છે,નો નાશ કરવામાં આવ્યો.

India Airstrike on pakistan : લ્યો આવી ગયો વીડિયો.. પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યાના 9 પુરાવા જોઈ લો
Follow Us:
| Updated on: May 07, 2025 | 5:39 PM

ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં મોટા પાયે હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું.

ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં મોટા પાયે હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું, જેમાં સેના, વાયુસેના અને નૌકાદળે મળીને દુશ્મનના સ્થળો પર હુમલો કર્યો હતો.

ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો
છત કે બાલ્કની, AC નું આઉટડોર યુનિટ ક્યાં લગાવવું જોઈએ?
તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...

9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા

ભારતીય સેનાએ કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેમાંથી 4 પાકિસ્તાનની અંદર અને 5 પીઓકેમાં હતા. પીઓકેમાં, સેનાએ બાગ, કોટલી, ભીમ્બર અને ચેક અમરુમાં સચોટ હુમલા કર્યા, જ્યારે પાકિસ્તાનમાં, મુઝફ્ફરાબાદ, ગુલપુર, સિયાલકોટ, મુરીદકે અને બહાવલપુરમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા.

આતંકવાદી સંગઠનો પર હુમલો

આ હુમલાઓ ફક્ત છુપાયેલા સ્થળો પર જ નહીં પરંતુ એવા સંગઠનો પર પણ થયા હતા જે વર્ષોથી ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યો.

ખાસ કરીને, જૈશ-એ-મોહમ્મદના મરકઝ સુભાન અલ્લાહ (બહાવલપુર), લશ્કરના મરકઝ તૈયબા (મુરીદકે), જૈશના તેહરા કલાન (શકરગઢ), હિઝબુલના મહમૂના (સિયાલકોટ), લશ્કરના મરકઝ અહલે હદીસ (ભીમ્બર), જૈશના મરકઝ અબ્બાસ મસ્કર શાહ (મસ્કર શાહ) અને જૈશના મરકઝ અબ્બાસ પર હુમલા. (કોટલી), લશ્કરના સવાઈ નાલા કેમ્પ (મુઝફ્ફરાબાદ) અને બિલાલ કાઈમ (મુઝફ્ફરાબાદ)એ આતંકના ગઢને હચમચાવી નાખ્યો. કાટમાળમાં ફેરવાઈ ગયેલા આતંકવાદી છાવણીના 9 છુપાયેલા સ્થળોની તસવીરો સામે આવી છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા. “ઓપરેશન સિંદૂર” ને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">