LAC પર ભારત અને અમેરિકાની સૈન્ય કવાયતથી પરેશાન ચીન, હવે જ્ઞાન આપી રહ્યું છે

|

Aug 25, 2022 | 6:45 PM

ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરારનું ઉલ્લંઘન હશે.

LAC પર ભારત અને અમેરિકાની સૈન્ય કવાયતથી પરેશાન ચીન, હવે જ્ઞાન આપી રહ્યું છે
ભારત અને અમેરિકા વચ્ચેની મિલિટરી ડ્રિલને કારણે ચીનને લાગ્યા મરચાં
Image Credit source: File Pic

Follow us on

ચીનની (China) સરહદથી માત્ર 100 કિમી દૂર ઉત્તરાખંડના ઔલીમાં ઓક્ટોબરમાં યોજાનારી ભારત-અમેરિકા (US-INDIA) મિલિટરી ડ્રિલના સમાચારથી ચીનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ચીને હવે ભારત અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આમ કરવું સરહદ વિવાદના દ્વિપક્ષીય મામલામાં દખલ કરવા જેવું છે. ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરારનું ઉલ્લંઘન હશે. જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતી મુજબ બંને દેશોની બોર્ડર પર કોઈ મિલિટરી ડ્રિલ કરી શકાતી નથી.

ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ તાન કેફેઈએ કહ્યું કે, અમે ભારત અને ચીનની સરહદ પર કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સહન કરી શકીએ નહીં. તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં યોજાનારી સૈન્ય અભ્યાસ અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં ભારત અને અમેરિકા ઉત્તરાખંડના ઔલીમાં સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે. જો આ કવાયત બંને દેશો વચ્ચે થાય છે, તો તે અમેરિકા અને ભારતની 18મી સૈન્ય કવાયત હશે.

ભારત અને અમેરિકા એવા સમયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કવાયત કરવા જઈ રહ્યા છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને તણાવ વધી ગયો છે. સીમા વિવાદને જોતા બંને દેશોએ સરહદ પર મોટી સંખ્યામાં પોતાની સેના અને હથિયારો વધારી દીધા છે.તાન કેફેઈએ કહ્યું કે, ચીને હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશોના સૈન્ય સહયોગ, ખાસ કરીને સૈન્ય અભ્યાસ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ પર, કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ નહીં, પરંતુ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરવી જોઈએ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

1993 અને 1996ના કરારનો ઉલ્લેખ

તાને કહ્યું કે ચીન-ભારત સરહદનો મુદ્દો બંને દેશો વચ્ચેનો મુદ્દો છે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ તમામ સ્તરે અસરકારક સંવાદ જાળવી રાખ્યો છે અને દ્વિપક્ષીય વાતચીત દ્વારા પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા સંમત થયા છે. તેમણે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું હતું કે, 1993 અને 1996માં ચીન અને ભારત દ્વારા કરવામાં આવેલા સંબંધિત કરારોના પ્રકાશમાં, કોઈપણ પક્ષને એલએસીની નજીકના વિસ્તારોમાં બીજા વિરુદ્ધ સૈન્ય અભ્યાસ કરવાની મંજૂરી નથી.

આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

 

Published On - 6:30 pm, Thu, 25 August 22

Next Article