AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai Airport UAE : દુબઈ એરપોર્ટ પર બે પ્લેન ટકરાવવાની મોટી દુર્ઘટના ટળી, DGCAએ માગ્યો UAE પાસે રિપોર્ટ

સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પર બે વિમાનો અથડાવાના હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. DGCAએ UAE પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

Dubai Airport UAE : દુબઈ એરપોર્ટ પર બે પ્લેન ટકરાવવાની મોટી દુર્ઘટના ટળી, DGCAએ માગ્યો UAE પાસે રિપોર્ટ
Major accident averted at Dubai airport ( Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 9:14 AM
Share

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation) એ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ઉડ્ડયન નિયમનકારને 9 જાન્યુઆરીની ઘટના પર અહેવાલ માહિતી આપવા જણાવ્યું છે. આ દિવસે ભારત આવી રહેલા બે વિમાનોની ટક્કરથી બચી ગયા હતા. મળતી માહિતી મુજબ, અમીરાત એરલાઇનનું બોઇંગ 777 9 જાન્યુઆરી રવિવારે ભારત તરફ આવી રહ્યું હતું. તેણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક-ઓફ શરૂ કર્યું હતું, જ્યારે એર ટ્રાફિક કંટ્રોલે તેને ટેક-ઓફ ન કરવા કહ્યું હતું.

કારણ કે દુબઈથી બેંગ્લોર જતી અન્ય એક બોઈંગ 777 ફ્લાઈટ રનવે ઓળંગી ગઈ હતી. તે જ સમયે હૈદરાબાદ જઈ રહેલા વિમાને ટેકઓફ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે બંને વિમાનો ટકરાયા ત્યારે સેંકડો લોકો વિમાનમાં સવાર હતા. જો વિમાનો અથડાયા હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. બોઇંગ 777 240 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ઉડાન ભરી રહ્યું હતું જ્યારે તેને તેની ટેક-ઓફ રનને રોકવા માટે કહેવામાં આવ્યું. તે સારી વાત હતી કે વિમાને સુરક્ષિત રીતે ટેકઓફ કર્યું હતું.

બે વિમાનો વચ્ચે પાંચ મિનિટનો તફાવત

અમીરાતના ફ્લાઈટ શેડ્યૂલ મુજબ, બંને પ્લેન ટેકઓફ કરવા વચ્ચે પાંચ મિનિટનું અંતર હતું. બંનેની ટક્કર ટેકઓફ દરમિયાન થઈ શકે છે. DGCA સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘બંને રજીસ્ટર્ડ એરક્રાફ્ટ છે. આ ઘટના એરપોર્ટ પર બની હતી, તેથી ICAO (ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન) મુજબ તેની તપાસ કરવામાં આવશે . ભારતના DGCAએ UAEને તપાસ રિપોર્ટ તૈયાર થતાં જ આપવા માટે કહ્યું છે. તો બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતની ઉડ્ડયન તપાસ સંસ્થા એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન સેક્ટર (AAIS)એ પણ તપાસ શરૂ કરી છે.

સુરક્ષાનો ગંભીર ભંગ

અમીરાતે કહ્યું છે કે સુરક્ષામાં ગંભીર ખામી હતી. આ ઘટનાની પુષ્ટિ પણ કરી અને ગંભીર સુરક્ષા ભંગ વિશે સમાચાર એજન્સી ANIને જાણ કરી છે.. પ્લેનના ક્રૂ સામે પણ આંતરિક તપાસ થશે. પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હૈદરાબાદ જતું વિમાન એટીસીની મંજૂરી વિના ટેકઓફ કરી રહ્યું હતું. ઘટના સમયે UAEનું બોઇંગ-B777 એરક્રાફ્ટ ત્યાં ઊભું હતું. આ વિમાનોમાં 350 થી 440 લોકો બેસી શકે છે.

આ પણ વાંચો : Delhi Weekend Curfew: દિલ્લીમાં વીકએન્ડ કર્ફ્યુ શરૂ, જાણો કઈ સેવા ઉપર પ્રતિબંધ અને કઈ સેવાઓ રહેશે કાર્યરત

આ પણ વાંચો : Happy Birthday Bhanupriya : ભાનુપ્રિયાએ એક્ટિંગ માટે છોડી દીધી સ્કૂલ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">