લો બોલો ચીનાઓ કોને કીધા? હવાઇ યાત્રા દરમ્યાન કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ચીનમાં ડાયપર પહેરવા અપાઇ સલાહ
કોરોનાના ઉદભવ સ્થાન માનવામાં આવતા ચીનમાં હવે કોરોના સંક્રમણથી સુરક્ષીત રહેવા નવી સલાહ આપી છે. ચીને હવાઇ યાત્રા કરવા દરમ્યાન સંક્રમણથી બચવા માટે ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી છે. ચીનના ઉડ્યન નિયામક દ્રારા તમામ વિમાનોના ક્રૂ-મેમ્બરોને માટે દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ટોયલેટમાં સંક્રમણ ફેલાવવાની સ્થિતી વધુ હોય છે. જેથી […]
કોરોનાના ઉદભવ સ્થાન માનવામાં આવતા ચીનમાં હવે કોરોના સંક્રમણથી સુરક્ષીત રહેવા નવી સલાહ આપી છે. ચીને હવાઇ યાત્રા કરવા દરમ્યાન સંક્રમણથી બચવા માટે ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી છે. ચીનના ઉડ્યન નિયામક દ્રારા તમામ વિમાનોના ક્રૂ-મેમ્બરોને માટે દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ટોયલેટમાં સંક્રમણ ફેલાવવાની સ્થિતી વધુ હોય છે. જેથી લઇને ક્રૂ-સદસ્યો ટોયલેટના ઉપયોગ થી દુર રહે.
ચીનના ઉડ્યન નિયામકે ચાર્ટર ફ્લાઇટના કેબિન ક્રૂ સભ્યોને આ દિશા નિર્દેશનનુ પાલન કરવા કહેવાયુ છે. 38 જેટલા પાનાઓના દિશા નિર્દેશમાં સુચનાઓ જારી કરવાં આવી છે. જ્યારે કોરોના સંક્રમણના ઉચ્ચ જોખમો વાળી જગ્યા પર વિમાન જાય તો, ક્રૂ મેમ્બર શૌચાલયની જગ્યાએ ડિસ્પોઝેબલ ડાયપરનો ઉપયોગ કરે. ચીન તેવા ક્ષેત્રોને ઉચ્ચ જોખમ ભર્યા માને છે કે, જ્યાં 10 લાખની જંન સંખ્યાએ 500 કે તેથી વધુ સંક્રમીતો આવતા હોય. ક્રૂ મેમ્બરોને આ સલાહ તેમના વ્યક્તિગત સુરક્ષાને ઘ્યાને રાખી આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, વૈજ્ઞીનિક સંશોધનમાં સાબિત થઇ ચુક્યુ છે કે મળ દ્રારા પણ સંક્રમણ વાતાવરણમાં ફેલાઇ શકે છે. હવાઇ યાત્રાને લઇને પણ હાલમાં કેટલીક ગાઇડ લાઇનો અમલમાં છે. જેમાં કેટલાક પ્રકારના યાત્રીઓને ક્યાંય નહી લઇ જવાનો પણ ટ્રેંન્ડ ચાલી રહ્યો છે. જેનાથી કોરાના સુરક્ષીત રહી લોકો યાત્રા કરી શકે. પરંતુ સિંગાપોરમાં એક જહાજમાં 1700 યાત્રીઓને આવો ખરાબ અનુભવ રહ્યો. કેટલાક સમય પછી એક યાત્રીક કોરોના સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. જેના બાદ તમામ યાત્રીકોના કોન્ટેક ટ્રેસીંગ પ્રક્રિયા દ્રારા ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યાં સુધી પોતાન રુમમાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો