આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાનું સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમને કહ્યું કે આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રાર્ય આપણી નિંદાને પાત્ર છે.

આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા
Arindam Bagchi
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 7:22 AM

ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ નહીં. અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તના રિપોર્ટ બાદ ઈન્ટરએક્ટિવ ડાયલોગમાં માનવ અધિકાર પરિષદના 55મા સત્ર દરમિયાન એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અરિંદમ બાગ્ચીએ આ વાત કહી.

અરિંદમ બાગચીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાર્વભૌમિક જવાબદારી વિશે સ્પષ્ટ થવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનની વર્તમાન પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે, જેમાં મોટા પાયે નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના જીવ જઈ રહ્યા છે, તથા માનવીય નુકસાન ખૂબ જ ચિંતાજનક છે. આ સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે અને અમે બધા નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ.

તેમને કહ્યું કે રાહત પૂરી પાડવા માટે એક કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂર છે. આ સંઘર્ષ ક્ષેત્રની અંદર અથવા તેની બહાર ફેલાવો જોઈએ નહીં. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન બે-રાજ્ય સિદ્ધાંત પર આધારિત સંઘર્ષનો ઉકેલ પહેલા કરતાં વધુ આવશ્યક બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આતંકવાદ અને બંધક બનવાનું અસ્વીકાર્ય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાનું સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમને કહ્યું કે આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રિયાઓ આપણી નિંદાને પાત્ર છે. આતંકવાદને લઈને ભારતની રણનીતિ ઝીરો ટોલરન્સની રહી છે. બંધકોનું પરત આવવું જરૂરી છે.

પેલેસ્ટિનિયન લોકોને આપ્યું સમર્થન

તેમને કહ્યું કે ભારત, તેના તરફથી, દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટાઈનના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું પણ ચાલુ રાખશે. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે પોતાના નિવેદનમાં કહ્યું કે પેલેસ્ટાઈન પર વર્તમાન સ્થિતિ પરનો રિપોર્ટ વાંચવો ખૂબ જ પીડાદાયક છે.

ગાઝા પર વ્યક્ત કરી ચિંતા

વોલ્કર તુર્કે કહ્યું કે એવું લાગે છે કે ગાઝામાં આપણી આંખો સમક્ષ જે ભયાનકતા સ્થિતિ ઉભી થઈ રહી છે તેની કોઈ મર્યાદા નથી – તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.

આ પણ વાંચો: કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">