AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો

મરિયમ નવાઝના એક વીડિયોને લઈને પાકિસ્તાનમાં હોબાળો શરૂ થઈ ગયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે.

કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો
Nawaz Sharif - Maryam Nawaz
| Updated on: Feb 28, 2024 | 3:18 PM
Share

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલી મરિયમ નવાઝના એક વીડિયોને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. રિપોર્ટ મુજબ આ વીડિયો તે સમયનો છે જ્યારે મરિયમ નવાઝે પંજાબ એસેમ્બલીમાં મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ તે તેના પિતાને મળવા આવી હતી.

મરિયમ નવાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે, જેને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને પૂછ્યું છે કે, ‘આ પરંપરા કયા ધર્મમાં છે?’ આ વીડિયોમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ નીચે ઝૂકીને તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરી રહી છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને આશીર્વાદ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઈસ્લામમાં પગને સ્પર્શ કરવાની મનાઈ છે અને તેથી જ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. અન્ય એક પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ લખ્યું છે, ‘તેને તમીઝ કહેવાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમે આખી જીંદગી બોલિવુડની ફિલ્મો જુઓ છો, તો આવા પ્રસંગે આખી ફિલ્મનો સીન સામે આવે છે.” આ સિવાય અન્ય યૂઝરે કહ્યું છે કે, ‘તેને સન્માનનો ધર્મ કહેવામાં આવે છે.’ જ્યારે નવાઝ શરીફની પાર્ટીના નેતા ચૌધકી અહમદ રઝાએ કહ્યું છે કે, શું તમારા માતા-પિતાના પગ સ્પર્શ કરવો ખોટું છે?

પંજાબના મુખ્યમંત્રી બની મરિયમ નવાઝ

મરિયમ નવાઝનો જન્મ 1973માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. 012 માં મરિયમે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને જ્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા, ત્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં મરિયમે 2013ની પીએમએલ-એનને જીત અપાવી. તે જ વર્ષે તેમને પ્રધાનમંત્રી યુવા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી. પરંતુ તેમની નિમણૂકને લાહોર હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં તેણે 2014માં રાજીનામું આપી દીધું હતું.

2017 માં પનામા પેપર્સ કૌભાંડનો ખુલાસો થયા પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને જાહેર પદ રાખવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મરિયમ મની લોન્ડરિંગમાં સામેલ હતી. પરંતુ પીએમએલ-એનએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે નિર્દોષ છે. 2017 માં મરિયમને વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓને માન્યતા આપતા BBCની 100 મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2017 માં, મરિયમને 2017 માં વિશ્વભરની 11 શક્તિશાળી મહિલાઓની ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">