Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો

મરિયમ નવાઝના એક વીડિયોને લઈને પાકિસ્તાનમાં હોબાળો શરૂ થઈ ગયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે.

કયા ધર્મના છો? CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના કર્યા ચરણ સ્પર્શ, આશીર્વાદ લીધા બાદ PAKમાં હોબાળો, જુઓ વીડિયો
Nawaz Sharif - Maryam Nawaz
Follow Us:
| Updated on: Feb 28, 2024 | 3:18 PM

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલી મરિયમ નવાઝના એક વીડિયોને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. રિપોર્ટ મુજબ આ વીડિયો તે સમયનો છે જ્યારે મરિયમ નવાઝે પંજાબ એસેમ્બલીમાં મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ તે તેના પિતાને મળવા આવી હતી.

મરિયમ નવાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે, જેને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને પૂછ્યું છે કે, ‘આ પરંપરા કયા ધર્મમાં છે?’ આ વીડિયોમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ નીચે ઝૂકીને તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરી રહી છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને આશીર્વાદ આપી રહ્યા છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

તમને જણાવી દઈએ કે ઈસ્લામમાં પગને સ્પર્શ કરવાની મનાઈ છે અને તેથી જ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. અન્ય એક પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ લખ્યું છે, ‘તેને તમીઝ કહેવાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમે આખી જીંદગી બોલિવુડની ફિલ્મો જુઓ છો, તો આવા પ્રસંગે આખી ફિલ્મનો સીન સામે આવે છે.” આ સિવાય અન્ય યૂઝરે કહ્યું છે કે, ‘તેને સન્માનનો ધર્મ કહેવામાં આવે છે.’ જ્યારે નવાઝ શરીફની પાર્ટીના નેતા ચૌધકી અહમદ રઝાએ કહ્યું છે કે, શું તમારા માતા-પિતાના પગ સ્પર્શ કરવો ખોટું છે?

પંજાબના મુખ્યમંત્રી બની મરિયમ નવાઝ

મરિયમ નવાઝનો જન્મ 1973માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. 012 માં મરિયમે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને જ્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા, ત્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં મરિયમે 2013ની પીએમએલ-એનને જીત અપાવી. તે જ વર્ષે તેમને પ્રધાનમંત્રી યુવા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી. પરંતુ તેમની નિમણૂકને લાહોર હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં તેણે 2014માં રાજીનામું આપી દીધું હતું.

2017 માં પનામા પેપર્સ કૌભાંડનો ખુલાસો થયા પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને જાહેર પદ રાખવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મરિયમ મની લોન્ડરિંગમાં સામેલ હતી. પરંતુ પીએમએલ-એનએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે નિર્દોષ છે. 2017 માં મરિયમને વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓને માન્યતા આપતા BBCની 100 મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2017 માં, મરિયમને 2017 માં વિશ્વભરની 11 શક્તિશાળી મહિલાઓની ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
g clip-path="url(#clip0_868_265)">