AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની નાપાક હરકત, ચીનને નારાજ ન કરવા બહેન-દિકરીઓની બલિ ચડાવી રહ્યું છે પાકિસ્તાન

એક અહેવાલમાં પાકિસ્તાનની બેશરમીની પુષ્ટી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જે બહેન-દીકરીઓનો સોદો કરીને પાકિસ્તાનથી ચીન લઈ જવામાં આવી તેમની હાલત ખુબ ખરાબ છે.

પાકિસ્તાનની નાપાક હરકત, ચીનને નારાજ ન કરવા બહેન-દિકરીઓની બલિ ચડાવી રહ્યું છે પાકિસ્તાન
PM Imran Khan and Xi Jinping (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 10:49 AM
Share

Pakistan Bride Trafficking: આ પહેલા ડિસેમ્બર 2019 મીડિયામાં અનેક અહેવાલો આવ્યા હતા.જેમાં ચીન-પાકિસ્તાન (China Pakistan)  ઇકોનોમિક કોરિડોર (CPEC) દ્વારા મોટા પાયે બ્રાઇડ ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની બહેનો અને પુત્રીઓના ચીનના માણસો સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરવામાં આવે છે.

મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે મહિલાઓ

એક અહેવાલમાં પાકિસ્તાનની બેશરમીની પુષ્ટી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જે બહેન-દીકરીઓનો સોદો કરીને પાકિસ્તાનથી ચીન લઈ જવામાં આવી તેમની હાલત ખુબ ખરાબ છે. ચીન પહોંચ્યા બાદ તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તેઓને વેશ્યાવૃત્તિ અને ગર્ભધારણ માટે ફરજ પાડવામાં આવી રહી છે.

દાણચોરીના કિસ્સાઓ પર ફરીથી પ્રકાશ પડ્યો

ત્યારે હવે બ્રુકિંગ્સ ફોરેન પોલિસીના અહેવાલમાં પાકિસ્તાનથી દુલ્હનોની દાણચોરીના કિસ્સાઓ પર ફરીથી પ્રકાશ પડ્યો છે. આ પીડિતોના પરિવારોને પૈસા અને ચીનમાં સારા જીવનના વચનની લાલચ આપવામાં આવતી હતી. પરંતુ, જ્યારે આ લોકો ‘સાસરે’ પહોંચી ત્યારે વરવી વાસ્તવિકતા અરીસાની જેમ બહાર આવી.તેમને ચીનમાં બળજબરીથી ગર્ભાવસ્થા, વેશ્યાવૃત્તિ અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.

આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા

જ્યારે 2019માં આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 52 દાણચોરોની ધરપકડ કરી હતી.અહેવાલોનુ માનીએ તો આ તમામ દાણચોરો ચીનના હતા. જો કે, આ મામલો ટૂંક સમયમાં ધીમે ધીમે દબાવવામાં આવ્યો હતો. 2019ના અંત સુધીમાં અડધાથી વધુ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ચીનને નારાજ કરવા નથી માંગતુ પાકિસ્તાન !

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં મોટા ભાગના આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. માહિતી મુજબ તપાસકર્તાઓ પર પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. સાથે જ પત્રકારોને પણ આ મુદ્દે ચૂપ કરાવવામાં આવ્યા હતા.જેને કારણે આ મામલો વધુ વણસ્યો છે.

આ પણ વાંચો  : Pakistan: PM ઈમરાન ખાનની વધી મુશ્કેલી, અવિશ્વાસ પ્રસ્તાવ પર નેશનલ એસેમ્બલીની બોલાવાશે બેઠક

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">