AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર
China Plane Crash
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 10:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવારે ચીનના ગુઆંગશીમાં વિમાન દુર્ઘટના (China Plane Crash) પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુ:ખ થયું.’ તેમણે કહ્યું, ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’ રાજદૂત સુન વિડોંગે પીએમ મોદીનો આભાર માન્યો. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’નું ‘બોઇંગ 737’ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. વિમાનમાં 132 લોકો સવાર હતા.

પીએમ મોદીનો આભાર માનતા ચીનના રાજદૂત સુન વિડોંગે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મિત્રોનો હવાઈ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે આભાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ બચાવ પ્રયાસો અને યોગ્ય નિરાકરણનો આદેશ આપ્યો છે.

અમે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે.

વિમાન દુર્ઘટનાથી ‘આઘાત’: શી જિનપિંગ

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તેઓ સોમવારે વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ‘આઘાતમાં’ છે. તેમણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પછી તરત જ જાહેર કરાયેલા નિર્દેશોમાં જિનપિંગે કહ્યું કે કુનમિંગથી ગુઆનઝો જઈ રહેલા ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’ના પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળી તાત્કાલિક પગલાં લઈને તેમણે બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્ર અને લોકોના જીવનની સલામતી માટે ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે.

પ્લેનમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો

બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા. ચીનના સરકારી-સંચાલિત CGTN-TVએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચાઇના મીડિયા ગ્રુપ (CMG) એ ‘ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા બોઇંગ 737 એરક્રાફ્ટમાં કોઈ વિદેશી મુસાફરો નહોતા. કંપનીએ સીએમજીને કહ્યું કે તે વધુ પુષ્ટિ કરશે.

આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના કેસ દરરોજ ઘટી રહ્યા છે, કેન્દ્ર સરકારે કહ્યું- ઓમિક્રોનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી

આ પણ વાંચો : Heat Wave: માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી, દેશના અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">