AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર
China Plane Crash
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 10:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવારે ચીનના ગુઆંગશીમાં વિમાન દુર્ઘટના (China Plane Crash) પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુ:ખ થયું.’ તેમણે કહ્યું, ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’ રાજદૂત સુન વિડોંગે પીએમ મોદીનો આભાર માન્યો. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’નું ‘બોઇંગ 737’ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. વિમાનમાં 132 લોકો સવાર હતા.

પીએમ મોદીનો આભાર માનતા ચીનના રાજદૂત સુન વિડોંગે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મિત્રોનો હવાઈ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે આભાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ બચાવ પ્રયાસો અને યોગ્ય નિરાકરણનો આદેશ આપ્યો છે.

અમે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે.

વિમાન દુર્ઘટનાથી ‘આઘાત’: શી જિનપિંગ

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તેઓ સોમવારે વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ‘આઘાતમાં’ છે. તેમણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પછી તરત જ જાહેર કરાયેલા નિર્દેશોમાં જિનપિંગે કહ્યું કે કુનમિંગથી ગુઆનઝો જઈ રહેલા ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’ના પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળી તાત્કાલિક પગલાં લઈને તેમણે બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્ર અને લોકોના જીવનની સલામતી માટે ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે.

પ્લેનમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો

બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા. ચીનના સરકારી-સંચાલિત CGTN-TVએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચાઇના મીડિયા ગ્રુપ (CMG) એ ‘ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા બોઇંગ 737 એરક્રાફ્ટમાં કોઈ વિદેશી મુસાફરો નહોતા. કંપનીએ સીએમજીને કહ્યું કે તે વધુ પુષ્ટિ કરશે.

આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના કેસ દરરોજ ઘટી રહ્યા છે, કેન્દ્ર સરકારે કહ્યું- ઓમિક્રોનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી

આ પણ વાંચો : Heat Wave: માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી, દેશના અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">