Pakistan: ઈમરાન મિયા ચારેબાજુએથી મુકાયા છે ભીંસમાં, ટંગડી ઉંચી રાખવા આપ્યુ નિવેદન કે હું કોઈનાં દબાણમાં નથી

પાકિસ્તાન સરકાર અને સેના વચ્ચે અણબનાવના અહેવાલોને નકારી કાઢતા ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષનો આરોપ ખતમ થઈ ગયો છે.આ સાથે જ જણાવ્યું કે સૈન્ય સાથેના સંબંધો પણ સારા છે.

Pakistan: ઈમરાન મિયા ચારેબાજુએથી મુકાયા છે ભીંસમાં, ટંગડી ઉંચી રાખવા આપ્યુ નિવેદન કે હું કોઈનાં દબાણમાં નથી
Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:44 AM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan)ફરી એકવાર કહ્યું કે દેશની સેના (Pakistan Army) સાથે તેમની સરકારના સંબંધોમાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે સરકાર અને સેના વચ્ચે અણબનાવનો વિપક્ષનો આરોપ ખતમ થઈ ગયો છે. મંગળવારે સ્થાનિક મીડિયામાં આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાને સોમવારે સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (Pakistan Tehreek-e-Insaf) પ્રવક્તાની બેઠકમાં જણાવ્યું હતું કે “આ દિવસોમાં સેના અને વહીવટીતંત્ર વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ છે”.

ઇમરાને કહ્યું હતું કે તેમની સરકાર અને સેના વચ્ચેનો સંબંધ “અસાધારણ” હતો અને તેમની વચ્ચે ખટાશનો વિપક્ષનો આરોપ સમાપ્ત થઈ ગયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વડા પ્રધાન ખાને ગયા અઠવાડિયે એક પત્રકાર સાથેની બેઠકમાં સમાન વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ખાનને તેમની સરકારને હટાવવા માટે સેના અને વિપક્ષ પીએમએલ-એન વચ્ચે સંભવિત સમજૂતીના અહેવાલો અને કોઈપણ જોખમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે એક ખાનગી વ્યક્તિ છે અને કોઈ પણ પ્રકારનું દબાણ નથી.

કાર્યકાળ પૂર્ણ થવાની અપેક્ષા છે

તેમણે કહ્યું કે તેમને સરકારના સહયોગી પક્ષોનો સહકાર મળી રહ્યો છે અને સરકાર તેની વર્તમાન પાંચ વર્ષની મુદત પૂરી કરશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વિભાજન પછી પાકિસ્તાનમાં માત્ર સેના ચાલે છે. સરકારો સેનાની સંમતિથી જ આવે છે. આ સિવાય પાકિસ્તાનની સેના સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલા નિર્ણયો પણ લે છે. હકીકતમાં, ભૂતકાળમાં, એવા સમાચાર હતા કે નવા ISIના વડાની નિમણૂકને લઈને શરૂ થયેલા વિવાદને કારણે, સેના અને પાકિસ્તાનની સરકાર વચ્ચે અણબનાવ થયો છે અને સેના ઈમરાન ખાનની સરકારને દૂર કરવા માંગે છે. .

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઈમરાન ખાનના સહયોગીએ પણ મુરીમાં હાથ ધરાયેલા બચાવ અભિયાન માટે સેનાની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના રાવલપિંડીના આ હિલ સ્ટેશનમાં લોકો બરફવર્ષામાં ફસાયા હતા. જેના કારણે ઓક્સિજન, પાણી અને ખોરાકના અભાવે તે પોતાના વાહનોની અંદર જ મૃત્યુ પામ્યા છે. જે બાદ સેનાએ બાકીના ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઈમરાન ખાને આ ઘટના વિશે કહ્યું કે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં અહીં સુવિધાઓ વધારવાની અને નવી હોટેલો ખોલવાની જરૂર છે.

આ પણ વાંચો : Lockdown In China : ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આ શહેરમાં લાગ્યું લોકડાઉન

આ પણ વાંચો : India-China border Talks: ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની થશે સૈન્ય વાટાઘાટો, બંને દેશોને સાર્થક વાતચીતની આશા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">