AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું ‘મોટું નિવેદન’… 7 સપ્ટેમ્બર સુધીમાં ખતમ થઈ શકે છે ‘હોર્મુઝની નાકાબંધી’

અમેરિકા અને ઈરાન વચ્ચેના પરમાણુ કરાર તેમજ હોર્મુઝની નાકાબંધી હટાવવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે આ કરારમાં થઈ રહેલા વિલંબ પાછળના મુખ્ય બે કારણો પણ જાહેર કર્યા છે.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું 'મોટું નિવેદન'... 7 સપ્ટેમ્બર સુધીમાં ખતમ થઈ શકે છે 'હોર્મુઝની નાકાબંધી'
| Updated on: Jun 03, 2026 | 8:42 PM
Share

ઈરાન સાથે કરાર અને હોર્મુઝની નાકાબંધી હટાવવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, કરારમાં બે કારણોસર વિલંબ થઈ રહ્યો છે.

કયા છે 2 મુખ્ય કારણ?

પહેલું કારણ, ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ છે. બીજું કારણ કરારમાં મુજ્તબા ખામેનેઈનો સમાવેશ હોવો તે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મુજ્તબા સુધી મોડેથી સંદેશ પહોંચાડવામાં આવે છે, જેના કારણે કરાર સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે.

આ પહેલા ઈરાનની મહેર ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, અમેરિકાએ પરમાણુ કરારને લઈને જે નવો પ્રસ્તાવ મોકલ્યો છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, મને કોઈ ઉતાવળ નથી. મને લાગે છે કે, 7 સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝની નાકાબંધી ખતમ થઈ શકે છે. આનાથી મને થોડું નુકસાન પણ થશે પરંતુ હું તેની ચિંતા કરતો નથી.

ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 400 ડોલર પ્રતિ બેરલ થવાની વાતો કહેવામાં આવી રહી હતી. અત્યારે ક્રૂડ ઓઈલ 98 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. શેરબજારને પણ બહુ મોટું નુકસાન થયું નથી પરંતુ ઈરાનના પરમાણુ હથિયારો ખતમ કરવા માટે આ જરૂરી છે.

ટ્રમ્પે આગળ કહ્યું કે, જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે, તો ઈઝરાયેલનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હવે યુદ્ધ પછી એ નક્કી થઈ ગયું છે કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.

ઈરાન પર કબજો કરવા માટે સેના મોકલવાની જરૂર નથી

ટ્રમ્પે આગળ કહ્યું કે, એર સ્ટ્રાઈક (હવાઈ હુમલા) દ્વારા ઈરાનની સૈન્ય વ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઈરાનની સ્થિતિ સારી નથી. હવે ત્યાં સૈનિકો મોકલવાની કોઈ જરૂર નથી. વાયુસેના દ્વારા જ ઈરાનની મિલિટરીને નુકસાન પહોંચાડી દેવાયું છે. આગળની વાતચીત પણ યોગ્ય દિશામાં ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ ખૂબ જ સમજદાર છે અને તેઓ પોતે વાતચીતમાં જોડાયેલ છે. આવનારા સમયમાં હું મુજ્તબા ખામેનેઈને મળવા ઈચ્છીશ. આ પહેલા મંગળવારે (2 જૂને) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અમેરિકન કોંગ્રેસને મુજ્તબા ખામેનેઈ અંગે અપડેટ આપ્યું હતું. રુબિયોના જણાવ્યા અનુસાર, મુજ્તબા સંપૂર્ણપણે ફિટ છે અને વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે.

કેનેડા જવાનું થયું સરળ, વિઝા પ્રોસેસિંગના નવા સમય જાહેર, સુપર વિઝામાં 43 દિવસ બચશે જ્યારે વિઝિટર વિઝા માટે…

Follow Us
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
g clip-path="url(#clip0_868_265)">