ધોની-સચીનની પણ બોર્ડર પર લાગી શકે છે ડ્યૂટી ! ભારત સરકારે આર્મીને આપી મોટી તાકત
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચીન તેંડૂલકર અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે. ત્યારે શું ધોની અને સચિન આર્મીની વર્દી પહેરીને ભારત પાકિસ્તાનના આ યુદ્ધમાં જોડાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, ટેરિટોરિયલ આર્મીને પણ સરહદ ફરજ પર તૈનાત કરવામાં આવી શકે છેની માહિતી મળી રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચીન તેંડૂલકર અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે. ત્યારે શું ધોની અને સચિન આર્મીની વર્દી પહેરીને ભારત પાકિસ્તાનના આ યુદ્ધમાં જોડાશે?
તમને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રાલયના લશ્કરી બાબતોના વિભાગે ટેરિટોરિયલ આર્મી રૂલ્સ 1948 ના નિયમ 33 હેઠળ આર્મી ચીફને અધિકાર આપ્યો છે કે તેઓ ટેરિટોરિયલ આર્મીના તમામ અધિકારીઓ અને સૈનિકોને જરૂરી સુરક્ષા ફરજ માટે અથવા નિયમિત સેનાના સમર્થનમાં સક્રિય સેવા આપવા માટે બોલાવી શકે છે.
ટેરિટોરિયલ આર્મી શું છે?
ટેરિટોરિયલ આર્મી એ આર્મીનો એક ભાગ છે. જ્યાં પણ આર્મીને તેની જરૂર હોય ત્યાં ટેરિટોરિયલ આર્મી તેના યુનિટ્સ પૂરા પાડે છે અને નિયમિત આર્મીને મદદ કરે છે. આ આર્મીની ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ આર્મીમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે પરંતુ તે કોઈ અન્ય નોકરી પણ કરી રહ્યો છે, તો તે આ બંને ફરજો એકસાથે કરી શકે છે.
18 થી 42 વર્ષની વયના નાગરિકો જે સ્નાતક છે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે, તેઓ ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે જોડાઈ શકે છે. તેમાં જોડાવા માટેની શરત એ છે કે તમારી પાસે આવકનો પોતાનો સ્ત્રોત હોવો જોઈએ. આ એક સ્વયંસેવક સેવા છે, તે કાયમી નોકરી નથી. તમને જરૂર હોય ત્યાં સુધી સેવા આપવા માટે કહી શકાય, એવું નથી કે તમે નિવૃત્તિ સુધી નોકરીમાં રહેશો.
ટેરિટોરિયલ આર્મીમાં ઘણા ખેલાડીઓ
તમને જણાવી દઈએ કે ભારતીય સેના દ્વારા ઘણા ખેલાડીઓને માનદ પદવીઓ આપવામાં આવે છે. તેમાં ફક્ત ધોની કે સચિન જ શામેલ નથી. તેમાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, શૂટર અભિનવ બિન્દ્રા, રાજકારણી અનુરાગ ઠાકુર, સચિન પાયલટ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ, નાના પાટેકર જેવા નામ પણ શામેલ છે. તે બધા ટેરિટોરિયલ આર્મીમાં કોઈને કોઈ રેન્ક પર છે. જેમ મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે અને પેરાશૂટ રેજિમેન્ટમાંથી છે. તેમણે આ માટે તાલીમ પણ લીધી છે. તેવી જ રીતે, સચિન તેંડુલકર ગ્રુપ કેપ્ટન છે.
In exercise of the powers conferred by Rule 33 of the Territorial Army Rule 1948, the Central Government empowers Chief of the Army Staff to exercise the powers under that rule to call out every officer and every enrolled person of the Territorial Army to… pic.twitter.com/zgKIPHYtY7
— All India Radio News (@airnewsalerts) May 9, 2025
ફરજ શું છે?
ટેરિટોરિયલ આર્મી નિયમિત સેનાનો એક ભાગ છે અને તેની વર્તમાન ભૂમિકા નિયમિત સેનાને નિયમિત ફરજોથી મુક્ત કરવાની અને કુદરતી આફતોનો સામનો કરવામાં અને આવી પરિસ્થિતિઓમાં આવશ્યક સેવાઓ જાળવવામાં નાગરિક વહીવટને મદદ કરવાની છે. તે એવી પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં લોકો કોઈપણ કુદરતી અથવા કોઈપણ પ્રકારની આફતને કારણે મુશ્કેલીમાં હોય છે, તેમજ જ્યારે દેશની સુરક્ષા જોખમમાં હોય છે.