શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

જાંબલી રંગનું પાણી પોટેશિયમથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. આ તમારા બગીચાના છોડને સારા રાખે છે.

શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર
How To Make Organic Fertilizer From Onion Peels
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 2:21 PM

ભારત (India) કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતો (Farmers) ખેતી (Farming) માટે અવનવી રીત અપનાવતા હોય છે. તો ખાતરને લઈને અવનવા પ્રયોગ કરતા રહે છે. સામાન્ય રીતે ડુંગળીના (Onion) ફોતરાને આપણે કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. મોટાભાગના લોકો જાણે છે કે ડુંગળીની છાલ ખૂબ ઉપયોગી છે. ડુંગળીમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વો જોવા મળે છે. પરંતુ હજુ પણ આપણે ડુંગળીની છાલને નકામી માનીએ છીએ.

જો કે, ડુંગળીની છાલની વિશેષતા વિશે માત્ર થોડા લોકો જ જાણતા હશે. આ કુદરતી કાચી છાલનો ઉપયોગ કરીને તમે તમારા છોડ માટે કાર્બનિક જૈવિક ખાતર બનાવી શકો છો અને તેનો તમારા બગીચામાં છંટકાવ કરી શકો છો.

આ માટે તમારે ડુંગળીનો ઉપયોગ કર્યા પછી તેની છાલ બચાવવાની છે. આ બાદ આ છાલ ઉપયોગ કરવાથી બગીચા માટે ખાતર ખરીદવા માટે રૂપિયા ખર્ચવાની જરૂરિયાત દૂર કરી શકશો. આ તમારા ખર્ચમાં ઘટાડો કરશે જેના કારણે તમારો નફો વધશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમે ડુંગળીની છાલથી ઓર્ગેનિક ગાર્ડન ખાતર જાતે બનાવી શકો છો 4 થી 5 ડુંગળીની છાલ લો. તેમને એક લિટર પાણીમાં પલાળી રાખો. મિશ્રણને ઢાંકીને 24 કલાક રાખો. જો કે, શિયાળા દરમિયાન આ સમયગાળો 48 કલાક સુધી લંબાવવામાં આવે છે. આ પછી તેને સીધા ઉપયોગ માટે કન્ટેનરમાં ગાળી લો.

તમે કેટલા દિવસ રાખી શકો છો? ડુંગળીનું છાલનું પાણી પોટેશિયમથી ભરપૂર છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. મહિનામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ છોડના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે પૂરતો સાબિત થાય છે. 10 થી 15 દિવસ સુધી આ પાણીને રાખી શકો છો.

છોડ સ્વસ્થ રહેશે ડુંગળીની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી તમે ઝીરો બજેટ ઓર્ગેનિક ગાર્ડનિંગ તેમજ ખેતીમાં મદદ કરી શકો છો. તેને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ તમારા છોડને તંદુરસ્ત બનાવવા માટે કરી શકો છો.

છંટકાવ માટે કેવી રીતે તૈયાર કરવો તમે આ કાર્બનિક પ્રવાહી ખાતરનો ઉપયોગ સિંચાઈના પાણી સાથે અથવા સ્પ્રે તરીકે કરી શકો છો. જો કે, એક લિટર પાણીમાં આ પ્રવાહી ખાતરના 100 થી 200 મિલીલિટર નાખીને ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : Red Lady Finger : ક્યારે પણ લાલ ભીંડા જોયા છે ? લાલ ભીંડાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ પણ વાંચો :Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">