Corona Effect in China : ચીનની સરકારે શિયિયાનના 130 લાખ લોકોને ઘરમાં રહેવાના આપ્યા આદેશ
ચીનમાં કોરોનાના કારણે સ્થિતી હાલ બગડતી જોવા મળી રહી છે. કેસમાં વધારો જોવા મળતા સરકાર કડક વલણ અપનાવી રહી છે.
સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ચીનમાં (China) પણ ભયનું વાતાવરણ છે. કોરોનાને (Corona Outbreak) કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિયિયાન પ્રાંતમાં 13 મિલિયન લોકોને આગામી આદેશો સુધી ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, કડક લોકડાઉનને પગલે શિયિયાન પ્રાંતના 1.3 કરોડ લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર, ઘરના ફક્ત એક જ સભ્યને આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે દર બે દિવસે ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ લોકોએ ઘરની અંદર રહેવું પડશે.
આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે બુધવારે શિયિયાનમાં કોરોનાના 52 નવા કેસ નોંધાયા છે, જે પછી 9 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ આંકડો 143 થઈ ગયો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખૂબ કોઇ ખૂબ જ મહત્વપૂર્ણ કામ ન હોય ત્યાં સુધી લોકોએ ઘરની બહાર નીકળવું નહીં. જો કોઈને શહેરની બહાર જવાની જરૂર પડે છે તો તેણે “વિશેષ પરિસ્થિતી”નો પુરાવો આપવો પડશે અને મંજૂરી માટે અરજી કરવી પડશે.
આ પણ વાંચો –
Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ
આ પણ વાંચો –
ઈન્દ્રાણી મુખર્જીના વકીલનું મોટું નિવેદન – કાશ્મીરમાં શીનાને મળ્યા હતા એક અધિકારી, CBI ને નિવેદન આપવા તૈયાર
આ પણ વાંચો –