પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું

Pakistan Political Turmoil; એવું કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે તેમની સરકાર 28 માર્ચે પડી જશે.

પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું
Imran Khan, Prime Minister of Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:19 PM

પાકિસ્તાનમાં (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ની સરકાર પડી શકે છે. TV9 ભારતવર્ષના પાકિસ્તાનમાં હાજર સૂત્રો તરફથી એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના (Qamar Javed Bajwa) કહેવા પર વિપક્ષ દ્વારા લાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ઇમરાને સ્વીકાર્યું છે કે તેમની સરકાર 28 માર્ચે પડી જશે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) 27 માર્ચે ઈસ્લામાબાદમાં રેલી કરવા જઈ રહી છે. આ રેલીમાં ઈમરાન પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઈમરાન પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારને હટાવી શકે છે.

આ પહેલા, નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે બુધવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાને વર્ષ 2019માં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો (Qamar Javed Bajwa) કાર્યકાળ વધારવામાં જાણી જોઈને વિલંબ કર્યો હતો જેથી પ્રક્રિયા સામે ‘વિવાદ ઊભો થઈ શકે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ મુજબ, શરીફે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) હંમેશા સેનાનું સન્માન કરે છે. જ્યારે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં લશ્કરી દળોને નિશાન બનાવતા અભિયાન પાછળ ઈમરાનખાનના શાસકપક્ષ તહેરીક એ ઈન્સાફનો હાથ હોવાનું મનાય છે.

ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

પાકિસ્તાનમાં ઈમરાન ખાને, વર્ષ 2018માં સત્તા સંભાળ્યા બાદ,સૌથી મુશ્કેલ રાજકીય સંકટનો સામનો કરવા જઈ રહ્યા છે. જેના કારણે ઈમરાનની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના માટે શુક્રવારે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના સમાચાર અનુસાર, શરીફે કહ્યુ છે કે, 2019માં વડાપ્રધાન ઈમરાન ખાને સેના પ્રમુખનો કાર્યકાળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિનિયમમા ત્રણવાર સુધારો કરવામાં આવ્યો હતો. જોકે શરીફે સ્વીકાર્યું હતું કે તેમની પાસે તેમના આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવો નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શું છે આંકડાઓની રમત ?

ઈમરાનને પદ પરથી હટાવવા માટે પાકિસ્તાનની 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને 172 વોટની જરૂર છે. ઈમરાન સરકાર પાસે ગૃહમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે તેને ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂર છે. પાર્ટીને ઓછામાં ઓછા છ રાજકીય પક્ષોના 23 સાંસદોનું સમર્થન છે.

આ પણ વાંચોઃ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો ક્રેઝ યથાવત : આ પાકિસ્તાની અભિનેતાએ તેની પત્ની સાથે ‘ગંગુબાઈ’ જોવા આખુ થિયેટર બુક કરાવ્યુ

આ પણ વાંચોઃ

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">