પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે. તમામ વિરોધ છતાં આમાં કોઈ કમી જોવા મળતી નથી. અહીં હિંદુ સમુદાયની સગીર યુવતી સાથે આવી જ ઘટના બની છે.

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન
victim minor girl
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 3:18 PM

પાકિસ્તાનમાં (Pakistan) લઘુમતીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે. તમામ વિરોધ છતાં આમાં કોઈ કમી જોવા મળતી નથી. અહીં હિંદુ સમુદાયની (Pakistan Hindu Community) સગીર યુવતી અનિતા મેઘવારને પહેલા બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને પછી તેના લગ્ન સિકંદર જરવાર નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યા. આ મામલો ટોંગો જાન મોહમ્મદ સિંધ શહેરનો છે. આ સ્થળ અહીં સિંધ પ્રાંતમાં (Sindh Province) આવેલું છે. લગ્નમાં યુવતીની તસવીર પણ સામે આવી છે. જેમાં તે હાથમાં કાગળ લઈને ઉભી છે. આ સિવાય આ લગ્ન સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ સામે આવ્યા છે.

આ પહેલા પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાંથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. અહીં એક 18 વર્ષની હિંદુ છોકરીને અપહરણનો પ્રયાસ નિષ્ફળ જવા બદલ ગોળી મારી દેવામાં આવી હતી. સોમવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. અખબાર ‘ધ ફ્રાઈડે ટાઈમ્સ’ એ અહેવાલ આપ્યો છે કે, પૂજા ઓડે રોહી, સુક્કુરમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી.

ઝડપથી વધતી આવી ઘટનાઓ

અહેવાલમાં જણાવાયું છે કે, દર વર્ષે લઘુમતી સમુદાયની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આવા કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં લઘુમતી સમુદાયની મહિલાઓનું ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

મોટાભાગની ઘટનાઓ સિંધમાં બને છે

આવા મોટાભાગના કેસ સિંધ પ્રાંતમાંથી જ આવે છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણની 156 ઘટનાઓ બની છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, 2019માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો બીજો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોએ તેનાથી સંબંધિત બિલનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">