AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે. તમામ વિરોધ છતાં આમાં કોઈ કમી જોવા મળતી નથી. અહીં હિંદુ સમુદાયની સગીર યુવતી સાથે આવી જ ઘટના બની છે.

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન
victim minor girl
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 3:18 PM
Share

પાકિસ્તાનમાં (Pakistan) લઘુમતીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે. તમામ વિરોધ છતાં આમાં કોઈ કમી જોવા મળતી નથી. અહીં હિંદુ સમુદાયની (Pakistan Hindu Community) સગીર યુવતી અનિતા મેઘવારને પહેલા બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને પછી તેના લગ્ન સિકંદર જરવાર નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યા. આ મામલો ટોંગો જાન મોહમ્મદ સિંધ શહેરનો છે. આ સ્થળ અહીં સિંધ પ્રાંતમાં (Sindh Province) આવેલું છે. લગ્નમાં યુવતીની તસવીર પણ સામે આવી છે. જેમાં તે હાથમાં કાગળ લઈને ઉભી છે. આ સિવાય આ લગ્ન સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ સામે આવ્યા છે.

આ પહેલા પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાંથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. અહીં એક 18 વર્ષની હિંદુ છોકરીને અપહરણનો પ્રયાસ નિષ્ફળ જવા બદલ ગોળી મારી દેવામાં આવી હતી. સોમવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. અખબાર ‘ધ ફ્રાઈડે ટાઈમ્સ’ એ અહેવાલ આપ્યો છે કે, પૂજા ઓડે રોહી, સુક્કુરમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી.

ઝડપથી વધતી આવી ઘટનાઓ

અહેવાલમાં જણાવાયું છે કે, દર વર્ષે લઘુમતી સમુદાયની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આવા કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં લઘુમતી સમુદાયની મહિલાઓનું ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે.

મોટાભાગની ઘટનાઓ સિંધમાં બને છે

આવા મોટાભાગના કેસ સિંધ પ્રાંતમાંથી જ આવે છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણની 156 ઘટનાઓ બની છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, 2019માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો બીજો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોએ તેનાથી સંબંધિત બિલનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">