AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈંધણ અને ગેસની ચોરીથી પાકિસ્તાન ત્રસ્ત, સરકારે ઠરાવી 14 વર્ષની સજા, આતંકવાદની ધારા પણ લગાવાશે, 3 કરોડ સુધીનો કરી શકાશે દંડ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશમાં ઈંધણ અને ગેસની કટોકટી સર્જાઈ છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો હવે ઈંધણ અને ગેસની ચોરી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઈંધણ અને ગેસની ચોરીથી ત્રસ્ત થઈ ઉઠેલ પાકિસ્તાનની સરકારે આકારામાં આકરા આતંકવાદના કાયદાઓ લાગુ કરવાની જાહેરાત કરી છે.

Breaking News : ઈંધણ અને ગેસની ચોરીથી પાકિસ્તાન ત્રસ્ત, સરકારે ઠરાવી 14 વર્ષની સજા, આતંકવાદની ધારા પણ લગાવાશે, 3 કરોડ સુધીનો કરી શકાશે દંડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2026 | 2:06 PM
Share

ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા મળીને ઈરાન પર કરેલા હુમલાને કારણે, સમગ્ર અખાતના દેશોમાં ઈંધણ અને ગેસના ઉત્પાદન ઉપર અસર વર્તાઈ રહી છે. આ કારણોસર અખાતના દેશમાંથી ઈંધણ અને ગેસ મેળવતા તમામ દેશમાં પણ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં તો હવે ઈંધણ અને ગેસના પુરવઠાની ચોરીના કિસ્સાઓ બની રહ્યાં છે. કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનમાં ગેસ અને ઈંધણની ચોરીના કિસ્સા અટકાવવા માટે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ જાહેર કર્યાં છે. જેમાં આતંકવાદ ધારા હેઠળ પણ કેસ નોંધવા માટે સ્થાનિક સરકારને જાણ કરવામાં આવી છે. જો કોઈ ઈંધણ અને ગેસની ચોરીમાં પકડાય અને કસુરવાર ઠરે તો 14 વર્ષની આકરી સજા કરવાની જોગવાઈ પણ પાકિસ્તાનની સરકારે જાહેર કર્યું છે.

ઈંધણ અને ગેસ કટોકટીના માહોલમાં, પાકિસ્તાનની સરકારે એક મહત્વપૂર્ણ નીતિગત ફેરફાર કર્યો છે. ઈંધણ અને ગેસના ગેરકાયદે સંગ્રહ અને ચોરીને હવે સત્તાવાર રીતે આતંકવાદના કૃત્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં એક બિલ સોમવારે રાષ્ટ્રીય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એકવાર આ બિલ પસાર થયા પછી, આ કાયદો પાકિસ્તાનમાં સંગ્રહખોરી, દાણચોરી અને ઈંઘણ અને ગેસના અનધિકૃત કબજાને ફોજદારી ગુનો ગણવામાં આવશે. સરકાર આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિઓ સામે આતંકવાદ વિરોધી કાયદા લાગુ કરવાની સત્તા પણ જાળવી રાખે છે.

પાકિસ્તાનના અગ્રણી ડોન અખબારના અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકારે સંસદમાં ફોજદારી કાયદો (સુધારા) બિલ, 2026 રજૂ કર્યું છે. આ બિલ ખાસ કરીને પ્રવર્તમાન ઈંઘણ અને ગેસ કટોકટીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે, ગુનાહિત માફિયાઓ, ઘણીવાર મિલીભગતથી કામ કરતા, પહેલા તેલ સ્થાપનોને નિશાન બનાવે છે અને હુમલો કરે છે, પછી તેઓ ચોરી કરેલા ઈંધણ-બળતણનો સંગ્રહ કરે છે અને તેને વધુ પડતા ભાવે વેચે છે.

પાકિસ્તાને આ નિર્ણય શા માટે લીધો?

પાકિસ્તાની સરકારનો દાવો છે કે, આતંકવાદીઓ વારંવાર ઈંધણ અને ગેસની પાઇપલાઇનમાં તોડફોડ કરે છે. ત્યારબાદ માફિયાઓ દ્વારા પાઈપલાઈનમાં કરેલ ભંગાણ દ્વારા ઈંધણ અને ગેસની ચોરી કરીને ઉંચા ભાવે તેનું વેચાણ કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મળેલી રકમનો ઉપયોગ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવા અને આતંક ફેલાવવા માટે કરવામાં આવે છે. આ જ કારણસર સરકારે તેલ અને ગેસ સંબંધિત ગુનાઓ અંગે કડક કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે.

સોમવારે, બલુચિસ્તાનમાં ઈંધણ પાઇપલાઇન પર હુમલા અંગે પણ અહેવાલો બહાર આવ્યા, જેના પરિણામે પ્રાંતીય રાજધાની ક્વેટા સહિત અનેક પ્રદેશોમાં ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. સરકારે હજુ સુધી આ હુમલાના ગુનેગારો અથવા તેમના હેતુઓ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.

નવા તેલ અને ગેસ કાયદામાં શું સમાયેલું છે?

પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં નીચે મુજબની જોગવાઈઓ છે:

  1. ઈંધણ કે ગેસની ચોરી કરતી વખતે પકડાયેલ કોઈપણ વ્યક્તિ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાની જોગવાઈઓ હેઠળ, દોષિત વ્યક્તિને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. 3 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.
  2. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ તેલ કે ગેસની દાણચોરી અથવા અનધિકૃત સંગ્રહમાં સંડોવાયેલો જોવા મળે છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કાયદો પેટ્રોલિયમ પાઇપલાઇન પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિ માટે કડક દંડની પણ જોગવાઈ કરે છે.
  3. નવા કાયદા હેઠળ, તેલ અને ગેસ સંબંધિત ગુનાઓના આરોપી વ્યક્તિને પકડવા માટે કોઈ વોરંટની જરૂર નથી. અધિકારીઓને આવા વ્યક્તિઓ સામે સ્વયં(પોતાની પહેલ પર) કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
  4. આતંકવાદના આરોપી વ્યક્તિઓ અંગે પાકિસ્તાનમાં સમાન અભિગમ અપનાવવામાં આવે છે. આતંકવાદના આરોપમાં ધરપકડ કરવા માટે કોઈ વોરંટની જરૂર નથી. વધુમાં, આતંકવાદના દોષિતોને ઓછામાં ઓછી 14 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.

Breaking News : ઈંધણ સંકટે ઉડાડી કંગાળ પાકિસ્તાનની ઊંઘ, PIA બંધ થવાની ચેતવણી

Follow Us
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું
કાલોલની MM ગાંધી કોલેજમાં ખોટું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ અટવાયા
કાલોલની MM ગાંધી કોલેજમાં ખોટું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ અટવાયા
શું મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે?
શું મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે?
એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ
એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ
સુરત જૈન આચાર્ય વિવાદ મહિલાઓને ધમકી
સુરત જૈન આચાર્ય વિવાદ મહિલાઓને ધમકી
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
g clip-path="url(#clip0_868_265)">