ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને (Pakistan) ભારતીય ક્ષેત્ર પરનો કબજો ખાલી કરવા કહ્યું છે. ભારતીય રાજદ્વારી પંતુલ ગેહલોતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશના કબજા હેઠળના વિસ્તારને ખાલી કરવાની સાથે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેણે 26/11ના આતંકવાદી હુમલાના આરોપીઓને સજા આપવાની અપીલ કરી હતી. અગાઉ પાકિસ્તાને ભારત સામે ઝેર ઓક્યું હતું.
First Secretary at United Nations for 2nd Committee of UNGA, Petal Gahlot says “Pakistan has become a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other… pic.twitter.com/6ZDh8cWoLK
આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની હિંમત કરી હતી. વારંવાર આંતરરાષ્ટ્રીય અપમાન કરવા ટેવાયેલા પાકિસ્તાનના પીએમ અનવર ઉલ હક કાકરે ફરી એકવાર કાશ્મીરના ગુણગાન ગાયા છે. કાકરે દાવો કર્યો હતો કે પાકિસ્તાન તેના પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને મજબૂત સંબંધો ઈચ્છે છે.
પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને મજબૂત સંબંધો ઈચ્છે છે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની ચાવી છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી લાંબા સમયથી રહેલો મુદ્દો છે. ભારત વતી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના વિચારો રજૂ કર્યા. તેણે પાકિસ્તાનને પણ જવાબ આપ્યો.