બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, અઝાન સમયે લાઉડ સ્પીકર પર પૂજા-પાઠ પર પ્રતિબંધ

|

Sep 12, 2024 | 12:21 PM

બાંગ્લાદેશમાં નવી સરકાર બન્યા બાદ પણ હિંદુઓ પરના અત્યાચારમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે બાંગ્લાદેશ સરકારે હિંદુઓની પૂજા પર અંકુશ લગાવવા માટે નવા આદેશ જારી કર્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, અઝાન સમયે લાઉડ સ્પીકર પર પૂજા-પાઠ પર પ્રતિબંધ
Another decree against Hindus in Bangladesh now worship on loudspeaker is banned during azan

Follow us on

બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પરિવર્તન બાદથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 300 થી વધુ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે અને હિંદુઓ વિરુદ્ધ મોબ લિંચિંગની ચાર ઘટનાઓ નોંધવામાં આવી છે.

10 થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત, અત્યાર સુધીમાં 49 હિંદુ શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે અને વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

બાંગ્લાદેશની હાલત પાકિસ્તાન જેવી થઈ ગઈ છે અને હિંદુઓની હત્યા કે હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી બંને સામાન્ય બની ગયા છે. એટલું જ નહીં, હિન્દુઓની હત્યા કરનારા આતંકવાદીઓને જેલમાંથી પણ છોડવામાં આવી રહ્યા છે અને વાત અહીં અટકતી નથી ત્યારે હવે દુર્ગા પૂજા પંડાલોમાં અઝાન વખતે પણ હિન્દુઓને પૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા

વાસ્તવમાં, દુર્ગા પૂજાનો તહેવાર 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે ઉજવવામાં આવે છે, જેનું આયોજન બાંગ્લાદેશમાં અત્યાર સુધી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું છે. જોકે આ વખતે એવું થવાનું નથી. કારણ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં નમાઝ અને અઝાન દરમિયાન હિન્દુઓને લાઉડસ્પીકર પર પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો પોલીસ દ્વારા કોઈપણ વોરંટ વગર તેની ધરપકડ કરવામાં આવશે.

નમાજના સમયે કોઈ પૂજા થશે નહીં

આ અંગે બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે આવતા મહિને 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલની સ્થાપના કરવામાં આવશે. પંડાલ સ્થાપનારી સમિતિઓએ જ આ નિયમનું પાલન કરવાનું રહેશે અને આ નિયમનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. આ તમામ પંડાલમાં તમામ ધાર્મિક વિધિઓ બંધ કરવી અને અઝાનના 5 મિનિટ પહેલા પૂજા કરવી ફરજિયાત રહેશે.

ઉપરાંત, અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર હિંદુઓ દ્વારા ભજન સાંભળવા અને મંત્ર જાપ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મતલબ કે હવે બાંગ્લાદેશની સરકાર સરમુખત્યારશાહી દ્વારા હિંદુઓની પૂજા પર પણ અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે.

Published On - 11:59 am, Thu, 12 September 24

Next Article