AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં ‘સમર્થકો’થી વધુ ખતરો !

ISIએ ઈમરાન ખાનને (Imran Khan) રશિયાની (Russia) મુલાકાત પહેલા જ સંકેત આપ્યો હતો કે ઈમરાન ખાન રશિયાથી પરત ફરતાની સાથે જ તેમના વિરોધીઓ સક્રિય થઈ જશે.

TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં 'સમર્થકો'થી વધુ ખતરો !
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:11 AM
Share

TV9 EXCLUSIVE:  પાકિસ્તાનના વડા પ્રધાનને(Imran Khan)  ખુરશી પરથી બળજબરીથી ઉતારવામાં આવેલા ઈમરાન ખાનનું જીવન હવે દરેક ક્ષણે મુશ્કેલ બની રહ્યું છે. ઈમરાન ખાન અડગ હતા કે તેઓ કોઈ પણ ભોગે વડા પ્રધાનની (Pakistan Prime minister) ખુરશી પરથી નીચે ઉતરશે નહીં, પણ આખરે અવિશ્વાસના મતની મદદથી તેમને હટાવવામાં આવ્યા હતા. ઈમરાન ખાનનો સતાનો પાવર એ વાતથી સમજી શકાય કે જ્યારે તેણે પાકિસ્તાનની જનતાને અડધી રાત્રે કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર (Pakistan Government) અથવા સંસદ ઈમરાન ખાનના હાથમાં રહેશે.

અન્યથા તે સંસદને આગ લગાડી દેશે. જો કે ઈમરાન ખાનની આ ધમકી પોકળ સાબિત થઈ, કારણ કે એ ધમકીના થોડા સમય બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં (Pakistan National Assembly) રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનનું શાસન ધ્વસ્ત થઈ ગયું હતું.

ઈમરાન પર ખતરો મંડાયો

હવે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ને ટાંકીને એવા અહેવાલો છે કે ઈમરાન ખાન ‘કમાવા’ માટે ખુરશીને વળગી રહેવા માંગતા નહોતા. ઊલટાનું તેમને એવો ડર હતો કે વડા પ્રધાનપદ જતાંની સાથે જ નેશનલ એસેમ્બલીની લગામ વિરોધીઓના હાથમાં આવી જશે. તેથી ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવાની સાથે જ તેમની મુશ્કેલીઓ શરૂ થઈ જશે. વિરોધીઓ તેમની આગળની તમામ ગણતરીઓ સરભર કરશે. કારણ કે તેઓ વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમની ઈન્ટેલિજન્સ એજન્સી (ISI) તેમને રિપોર્ટિંગ કરતી હતી.

તમને જણાવી દઈએ કે, ISIએ ઈમરાન ખાનને રશિયાની મુલાકાત પહેલા જ સંકેત આપ્યો હતો કે ઈમરાન ખાન રશિયાથી પરત ફરતાની સાથે જ તેમના વિરોધીઓ સક્રિય થઈ જશે. કારણ કે ઈમરાન ખાને તેની ગુપ્તચર એજન્સીને તે ગુપ્ત માહિતી પર કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. ઈમરાનને લાગ્યું કે વિરોધીઓ થોડા દિવસ અવાજ કરીને શાંત થઈ જશે.

ISIએ ઈમરાનને પહેલાથી જ એલર્ટ કર્યા

ઉલ્લેખનીય છે કે, રશિયા પ્રવાસથી ખાલી હાથ પાકિસ્તાન પરત ફરેલા ઈમરાન ખાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા.જો કે ISIએ ઈમરાન ખાનને પહેલેથી જ સંકેત આપી દીધા હતા. ગેરસમજમાં જીવી રહેલા ઈમરાન ખાને પોતાની ગુપ્તચર સંસ્થાની તે માહિતીને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેની અવગણના પણ કરી હતી. જેના પરિણામો આજે જોઈ શકાય છે. ઈમરાન ખાનની ખુરશી તો ગઈ પરંતુ આજે ઈમરાન ખાનના જીવન પર ખતરો મંડરાયેલો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  યુક્રેન સાથે યુદ્ધનુ આહ્વાન કરનાર હવે ક્રેમલિન છોડીને પરમાણુ બંકરમાં છુપાયો, જાણો શું છે પુતિનનો સિક્રેટ પ્લાન ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">