Kabul Airport Attack: આગામી 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરીથી થઈ શકે છે આતંકી હુમલો- જો બાઈડને ઉચ્ચારી ચેતવણી
બાઈડને નિવેદનમાં વધુમાં કહ્યું કે આજે સવારે હું વોશિંગ્ટનમાં મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને મેદાન પર મારા કમાન્ડરોને મળ્યો.
Kabul Airport Attack: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે ચેતવણી આપી હતી કે કાબુલ એરપોર્ટ પર આગામી 24-36 કલાકમાં બીજો આતંકવાદી હુમલો થઈ શકે છે. બાઈડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જમીન પરની સ્થિતિ અત્યંત જોખમી છે અને એરપોર્ટ પર આતંકવાદી હુમલાનું જોખમ રહેલું છે. એમ પણ કહ્યું કે અમારા કમાન્ડરોએ મને કહ્યું છે કે આગામી 24-36 કલાકમાં હુમલાની સંભાવના છે.
હાયમદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા હુમલામાં આત્મઘાતી બોમ્બર અને આઇએસઆઇએસ-કેના ઘણા બંદૂકધારીઓએ 13 અમેરિકી સૈનિકો અને ઓછામાં ઓછા 169 અફઘાન નાગરિકોની હત્યા કર્યા બાદ બિડેનનું નિવેદન આવ્યું છે. બાઈડેને નિવેદનમાં વધુમાં કહ્યું કે આજે સવારે હું વોશિંગ્ટનમાં મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને મેદાન પર મારા કમાન્ડરોને મળ્યો.
I said we would go after the group responsible for the attack on our troops and innocent civilians in Kabul, and we have. My full statement on the strike that U.S. forces took last night against the terrorist group ISIS-K in Afghanistan: https://t.co/hOb6xQ4ZZv
— President Biden (@POTUS) August 28, 2021
બાઈડેને કહ્યું કે આ સમય દરમિયાન અમે શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન ISIS-K વિરુદ્ધ અમેરિકી સૈન્ય દ્વારા હુમલા અંગે ચર્ચા કરી. મેં કહ્યું કે અમે કાબુલમાં અમારા સૈનિકો અને નિર્દોષ નાગરિકો પર હુમલા માટે જવાબદાર જૂથને છોડીશું નહીં. બાઈડેને કહ્યું કે આ હુમલો છેલ્લો નથી.
હુમલામાં સામેલ દરેકને તેની કિંમત ચૂકવવી પડશે. જ્યારે પણ કોઈ અમેરિકાને નુકસાન પહોંચાડે છે અથવા અમારા સૈનિકો પર હુમલો કરે છે ત્યારે અમે તેનો જવાબ આપીશું. તેના વિશે ક્યારેય કોઈ શંકા રહેશે નહીં. શનિવારે વહેલી સવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં આઈએસના બે સભ્યો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો.
અંતે, તેમણે કાબુલમાં મૃત્યુ પામેલા અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. બાઈડેને કહ્યું કે અમે જે 13 સૈનિકો ગુમાવ્યા તે હીરો હતા. એમ પણ કહ્યું કે કાબુલ (kabul) માં અમે નાગરિકોને બહાર કાઢવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે, અમે સેંકડો અમેરિકનો સહિત 6,800 અન્ય લોકોને બહાર કાઢ્યા, અને આજે અમારા સૈનિકો રવાના થયા પછી લોકોને અફઘાનિસ્તાન છોડવામાં મદદ કરવા માટે અમારી ચાલુ તૈયારીઓ પર ચર્ચા કરી.
આ પણ વાંચો: Mumbai: ‘ ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ 2050 સુધીમાં દરિયામાં ડૂબી જશે, BMC કમિશ્નરએ આપ્યું મોટું નિવેદન