Afghanistan Crisis: અફઘાન સંકટ મુદ્દે એસ જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકનની ફોન પર ચર્ચા, ટ્વિટ કરી આપી જાણકારી
કાબુલ એરપોર્ટની બહાર જ થયેલા બોમ્બ ધડાકાની સખત નિંદા કરતા ભારતે કહ્યું કે હુમલાએ વિશ્વને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
Aghanistan Crisis: વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister Dr S Jaishankar) શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન (US Secretary of State Antony Blinken ) સાથે વાત કરી અને અફઘાનિસ્તાનમાં નવીનતમ ઘટનાઓ પર ચર્ચા કરી. કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી બોમ્બ ધડાકા (Kabul Airport Blast) ના બે દિવસ બાદ આ વાતચીત થઈ હતી,
જેમાં 13 અમેરિકન સૈનિકો અને લગભગ 170 અફઘાનીઓ માર્યા ગયા હતા. વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કર્યું કે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિન્કેન સાથે વાત કરી. અફઘાનિસ્તાન પર તેમની ચર્ચા ચાલુ રાખી. યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) ના એજન્ડા પર મંતવ્યોની આપલે પણ કરી.
કાબુલ એરપોર્ટની બહાર જ થયેલા બોમ્બ ધડાકાની સખત નિંદા કરતા ભારતે કહ્યું કે હુમલાએ વિશ્વને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારતે શુક્રવારે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો મુખ્ય ભાર ભારતીયોને પરત લાવવા પર છે જેઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં છે.
Spoke to US Secretary of State @Secblinken.
Continued our discussions on Afghanistan. Also exchanged views on the agenda of UNSC.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 28, 2021
બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત તે જ સમયે, યુએસના વિદેશ મંત્રી એંટની બ્લિંકને વાતચીત અંગે ટ્વિટ કર્યું અને કહ્યું કે આજે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રમાં સંકલન સહિત અમારી વહેંચાયેલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચેની ફોન વાતચીતની વિગતો આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે તેઓએ અફઘાનિસ્તાન અને યુનાઇટેડ નેશન્સમાં સતત સંકલન સહિત સહિયારી પ્રાથમિકતાઓના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
Spoke with Indian External Affairs Minister @DrSJaishankar today to discuss our shared priorities including continued coordination on Afghanistan and in the United Nations. Look forward to continuing to deepen our partnership. https://t.co/u5B63mcujo
— Secretary Antony Blinken (@SecBlinken) August 28, 2021
બીજી બાજુ, યુએસએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ-ખુરાસન પ્રાંત ( ISIS-K) ના ખતરાને કારણે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હોવા છતાં તે 31 ઓગસ્ટ સુધીમાં જ પોતાનું સ્થળાંતર કામગીરી પૂર્ણ કરશે.
આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 29 ઓગસ્ટ: ધંધા-વેપારને લઈને નવી યોજનાઓ બને, દિવસ સારો રહે