ભારત પરત ફર્યું ભારતીય વાયુ સેનાનું C-17 અને C-130J વિમાન, વિદેશ મંત્રાલયે કહ્યું – તમામ ભારતીય નાગરિકોની સલામત પરત લાવવા માટે પ્રતિબદ્ધ

વિદેશ મંત્રાલયે (MEA) કહ્યું છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનથી તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત ફરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તમામ લોકોને વહેલી તકે લાવવાની સતત યોજના બનાવવામાં આવી રહી છે.

ભારત પરત ફર્યું ભારતીય વાયુ સેનાનું C-17 અને C-130J વિમાન, વિદેશ મંત્રાલયે કહ્યું - તમામ ભારતીય નાગરિકોની સલામત પરત લાવવા માટે પ્રતિબદ્ધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 10:31 PM

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યા બાદ મોટી સંખ્યામાં ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી 500થી વધુ ભારતીયોને બહાર કાઢવા મદદ કર્યા બાદ ભારતીય વાયુસેના (IAF) પરિવહન વિમાનો દેશમાં પરત ફર્યા છે. ભારતીય વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે તેના C-17 ગ્લોબમાસ્ટર્સ અને C-130J સુપર હર્ક્યુલસ વિમાનોને તૈનાત કર્યા છે.

C-17 અને C-130J વિમાનો તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તૈનાત થયા બાદ કાબુલ અને યુદ્ધગ્રસ્ત દેશના અન્ય શહેરોમાં ફસાયેલા લોકો માટે તેમની જગ્યા પર પરત ફર્યા છે. ભારતે તેના કેટલાક વિમાનો દુશાંબેના અયાની એરબેઝ પર મુક્યા હતા. મુસાફરોને કાબુલથી દુશાંબે લાવવા માટે C-130Jનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

‘ITBPની મદદથી અભિયાનમાં સફળતા’

મઝાર-એ-શરીફ અને કંદહાર કોન્સ્યુલેટમાં ફસાયેલા ભારતીય અધિકારીઓને બહાર કાઢવા માટે IAF વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાબુલ પર તાલિબાનના કબજા પછી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે વિમાનને ઉડાન ભરવા માટે રનવે સાફ કરવાનો હતો. સૂત્રોએ જણાવ્યું કે એરફોર્સના ગરુડ કમાન્ડોએ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો સાથે હાથ મિલાવ્યા હતા, જેથી સી -17ને ત્યાંના રાજદૂત સહિતના ભારતીય અધિકારીઓ સાથે ઉડાન ભરી શકાય.

550થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી લોકોને ભારત પરત લાવવા માટે એર ઈન્ડિયાના વિમાનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે કાબુલ અથવા દુશાંબેથી છ અલગ અલગ ફ્લાઈટમાં 550થી વધુ લોકોને બહાર કાઢ્યા છે. તેમાંથી 260થી વધુ ભારતીય હતા. ભારત સરકારે સ્થળાંતર કરવાની સુવિધા પણ પૂરી પાડી હતી. અન્ય એજન્સીઓ દ્વારા ભારતીય નાગરિકોને પણ પરત લાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કથળી રહી છે

વિદેશ મંત્રાલયે (MEA)કહ્યું છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનથી તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત ફરવા માટે પ્રતિબદ્ધ છે. અફઘાનિસ્તાનની સ્થિતિ આ મહિનાની શરૂઆતમાં તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદથી કથળી રહી છે, કારણ કે લોકો દેશ છોડવા માટે ધસારો કરે છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 15 ઓગસ્ટના રોજ દેશ છોડ્યા પછી દેશની સરકાર તરત જ પડી ગઈ હતી.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: ભારતના સુમિત અંતિલે ગોલ્ડ મેડલ મેળવતા જ શુભેચ્છાનો વરસાદ, લોકોએ કહ્યું ભારત દેશની ધરતી મહાન

આ પણ વાંચો :Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાજસ્થાનના આ 3 ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">