World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે

|

Mar 24, 2022 | 12:40 PM

વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો છે. અહીં જાણો ટીબી સાથે જોડાયેલી 4 ગેરમાન્યતાઓ.

World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે
World TB Day 2022 (symbolic image )

Follow us on

ટીબી (TB) માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ (Mycobacterium tuberculosis) નામક બેક્ટીરિયાથી થતી બિમારી છે. આમ તો શરીરમાં ખાસી શરદી હોવાના કારણ અનેક હોય છે પરંતુ ટીબીનીવાત કરીએ તો આ બિમારી ફેફસાને સંક્રમિત કરે છે. ફેફસાના ટીબીથી સંક્રમિત વ્યક્તિને ઉધરસ અને છીંક દરમિયાન નાક અને મોંઢામાંથા લોહી પડવા જેવી સમસ્યા થાય છે. આ બિમારી ઘાતક એટલા માટે છે કે તે શરીરના જે હિસ્સામાં સંક્રમિત થાય છે તે ભાગને સંપુર્ણ ખરાબ કરી નાખે છે. આ માટે ટીબીનો યોગ્ય અને સમયસર ઉપચાર ખુબ જરૂરી બને છે.ડબ્લુએચઓ (WHO)ની માનીએ તો ટીબી હજુ પણ દુનિયાની સૌથી મોટી સંક્રમક કિલર બિમારી છે. રોજ લગભગ 4100 જેટલા લોકો ટીબીના કારણે પોતાની જાન ગુમાવે છે અને 28,000 લોકો આ બિમારીની ચપેટમાં આવે છે.

આ રોગ વિશે લોકોને જાગૃત કરવા અને આ વૈશ્વિક બિમારીને રોકવાના પ્રયાસોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ડો. રોબર્ટ કોચે 24 માર્ચ 1982ના રોજ ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી, આ કારણથી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. તેની થીમ પણ દર વર્ષે બદલાય છે. વર્ષ 2022 માં વિશ્વ ક્ષય રોગ દિવસની થીમ ‘‘इनवेस्ट टू एंड टीबी सेव लाइव्स’ (Invest to End TB Save Lives)’ છે. આજે વિશ્વ ટીબી દિવસ પર જાણીએ આ જીવલેણ રોગ અને તેના વિશેની ભ્રામિક માન્યતા

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

મિથ-1

લોકો માને છે કે ટીબી રોગ માત્ર ફેફસાંને અસર કરે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. વિશ્વમાં લગભગ 70 ટકા ફેફસાના ટીબીના દર્દીઓ સામે આવે છે, પરંતુ આ રોગ લોહી દ્વારા તમારા અન્ય અંગોને પણ અસર કરી શકે છે. જ્યારે તે ફેફસાંને અસર કરે છે ત્યારે તેને પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે અને જ્યારે તે અન્ય અવયવોને અસર કરે છે ત્યારે તેને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.

મિથ-2

બીજી માન્યતા એ છે કે ટીબી હંમેશા ચેપી હોય છે. ના, દરેક ટીબી ચેપી નથી. માત્ર પલ્મોનરી ટીબી ચેપી છે. તેના બેક્ટેરિયા ચેપગ્રસ્ત દર્દીની ખાંસી કે છીંક ખાવાથી હવા મારફતે બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી, જે શરીરના અન્ય ભાગોને અસર કરે છે, તે ચેપી નથી.

મિથ-3

ઘણીવાર લોકો માને છે કે ટીબી મૃત્યુ તરફ દોરી જાય છે, પરંતુ એવું નથી. ટીબીની સફળ સારવાર આજના સમયમાં અસ્તિત્વમાં છે. ફક્ત આ રોગને સમયસર ઓળખની જરૂર છે. એકવાર રોગની પુષ્ટિ થઈ જાય, નિષ્ણાતો રોગના ઉપચાર માટે છ થી નવ મહિનાનો સમય લે છે. ગંભીર કિસ્સાઓમાં, આ સારવાર 18 થી 24 મહિના સુધી ચાલી શકે છે. જો તેની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે.

મિથ-4

લોકો માત્ર લાંબા સમયની ઉધરસને જ તેનું મુખ્ય લક્ષણ માને છે, પરંતુ એવું નથી. તેનું પ્રારંભિક લક્ષણ લાંબા સમય સુધી ઉધરસ આવે છે. આ સિવાય ઉધરસમાં કફ કે લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, હળવો તાવ, રાત્રે પરસેવો આવવો પણ તેના લક્ષણો છે. બીજી તરફ, જો એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી હોય, તો અસરગ્રસ્ત વિસ્તારને લગતી ગંભીર પીડા, સોજો અથવા અન્ય સમસ્યાઓ હોઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

આ પણ વાંચો :WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

Next Article