AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી એ પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિ અંગે બેઠક યોજવા કહ્યું છે. 26 માર્ચે આ બેઠક પાર્ટી મુખ્યાલયમાં યોજાશે.

Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા
Congress President Sonia GandhiImage Credit source: File Photo
| Updated on: Mar 24, 2022 | 12:30 PM
Share

Sonia Gandhi : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ (Congress) પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ છે. આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)એ સ્થિતિ પર નજર રાખી છે અને પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજવાનું કહ્યું છે.સોનિયા ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બેઠક બોલાવી છે. 26 માર્ચે આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ (Kc Venugopal) કરશે. આ બેઠક 26 માર્ચે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં તમામ મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે, પાંચ રાજ્યોમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસમાં જોરદાર હોબાળો મચી ગયો છે. G23 નેતાઓ સતત નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે.G23 નેતાઓમાં કપિલ સિબ્બલે સીધો જ ગાંધી પરિવાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના અન્ય નેતાઓના નિશાના પર આવી ગયા છે.

સોનિયા ગાંધીનું રાજીનામું નામંજૂર

કોંગ્રેસની સતત હાર અને ગાંધી પરિવારના વ્યૂહરચનાકારોમાં બદલાવના કારણે 2020નું G23 2022 સુધીમાં G21 બની ગયું. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress CWC Meeting)ની બેઠકમાં નેતાઓએ ગાંધી પરિવારના સામૂહિક રાજીનામાની ઓફરને ફગાવી દીધી હતી ત્યારબાદ ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા. તે પછી પંજાબના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગેરહાજર રહેલા આનંદ શર્મા, વિવેક તંખા અને મનીષ તિવારી પણ સોનિયા ગાંધીને મળ્યા હતા.

છેલ્લી બેઠકમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ,દરેકને સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તે પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. બેઠકમાં પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સીડબ્લ્યુસીની બેઠકમાં, ગુલામ નબી આઝાદ, દિગ્વિજય સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ સૂચનો આપ્યા કે ,ચૂંટણીમાં ભૂલ ક્યાં થઈ તેના પર મંથન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">