Winter Weight Loss: શું તમારું વજન પણ શિયાળામાં વધે છે ? તો આ રીતે નિયંત્રણ કરો

Winter Weight Loss: ઘણા લોકોને શિયાળામાં વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન વધવા માટે ઘણી વસ્તુઓ જવાબદાર હોય છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

Winter Weight Loss: શું તમારું વજન પણ શિયાળામાં વધે છે ? તો આ રીતે નિયંત્રણ કરો
Winter Weight Loss Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 8:32 PM

મોટાભાગના લોકોને શિયાળામાં વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે સામાન્ય પણ છે. જો તમારા વજનમાં નાના-મોટા ફેરફાર થાય છે, તો તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો તમારું વજન અચાનક ઘણું વધી જાય છે, તો તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, જો તમારું પણ શિયાળામાં ઘણું વજન વધી જાય છે, તો તેના પાછળના કારણોને સમજવું જરૂરી છે. શિયાળામાં વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે વધુ પડતી કેલરીનો આરોગવી.

શિયાળામાં વજન વધવાનું બીજું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિમાં ફેરફાર પણ હોઈ શકે છે. ઘણીવાર લોકો શિયાળામાં આળસને કારણે કસરત કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે શિયાળામાં તમારું વજન જળવાઈ રહે તો આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

કેલરીનું રાખો ખાસ ધ્યાન

શિયાળાની ઋતુમાં દરેક ઘરમાં ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ બને છે જેમ કે ગાજરનો હલવો, મગની દાળની શીરો, અડદિયા વગેરે. આ બધી વસ્તુઓમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓનું સેવન મર્યાદામાં કરવું અને ભોજન કરતા પહેલા પાણી પીવું જરૂરી છે. જમવાના એક કે અડધા કલાક પહેલા પાણી પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે અને તમે ઘણી બધી વસ્તુઓનું સેવન કરવાથી બચી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો

જો તમારે વજન ઓછું કરવું હોય તો ડાયટમાં વિટામિન અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે. આ સિવાય મોસમી શાકભાજી, કઠોળ, ફળ, બદામ, ઈંડા અને માછલી ખાઓ. આ બધી વસ્તુઓ તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખવામાં મદદ કરે છે જેથી તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાતા બચી જવાઇ છે.

દરરોજ વ્યાયામ કરો

શિયાળો હોય કે ઉનાળો, સ્વસ્થ શરીર માટે એ જરૂરી છે કે તમે સક્રિય રહો. રોજ વ્યાયામ ન કરવાથી તમારું વજન પણ વધે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. એવું જરૂરી નથી કે તમારે કસરત કરવા માટે જિમ જવું પડે, તમે ઘરે રહીને પણ કસરત કરી શકો છો.

લો-કેલરી નાસ્તાનું સેવન કરો

કંઈપણ ખાવાની તૃષ્ણા તમને કોઈપણ સમયે અનુભવી શકે છે. જો તમે ક્યારેક-ક્યારેક બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરતા હોવ તો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જો તમે દરરોજ આવી વસ્તુઓ ખાતા હોવ તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને નાસ્તામાં કંઈક ખાવાનું મન થાય તો આ સમય દરમિયાન સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ.

વારંવાર પાણી પીવાનું ભૂલશો નહીં

જો તમે ઇચ્છતા નથી કે તમારું વજન બિલકુલ વધે, તો સૌથી સારો ઉપાય છે હાઇડ્રેટેડ રહેવું. ઉનાળામાં લોકો લિક્વિડ વસ્તુઓનું સેવન અલગ-અલગ રીતે કરે છે, પરંતુ શિયાળામાં લિક્વિડનું સેવન ઘણું ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે સમયાંતરે તમારી જાતને યાદ કરાવતા રહો કે તમારે પાણી પીવું છે. આ તમને માત્ર હાઇડ્રેટેડ રહેવામાં જ મદદ કરશે નહીં પરંતુ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓની તૃષ્ણા પણ નહીં કરે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">