AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્ટ હેલ્થ માટે ઓલિવ ઓઈલ કે સરસવનું તેલ? જાણો કયું છે ‘સૌથી બેસ્ટ’

આજના સમયમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કયું તેલ વાપરવું જોઈએ, તેને લઈને લોકોમાં હંમેશા મૂંઝવણ રહે છે. એકતરફ આધુનિક હેલ્થ એક્સપર્ટ્સ ઓલિવ ઓઈલ ખાવાની સલાહ આપે છે, તો બીજી તરફ વર્ષોથી આપણા ઘરોમાં પરંપરાગત રીતે સરસવના તેલનો ઉપયોગ થતો આવ્યો છે.

હાર્ટ હેલ્થ માટે ઓલિવ ઓઈલ કે સરસવનું તેલ? જાણો કયું છે 'સૌથી બેસ્ટ'
| Updated on: Jun 01, 2026 | 8:10 PM
Share

રસોડામાં વપરાતા તેલને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. એક તરફ ઓલિવ ઓઈલને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, તો બીજી તરફ સરસવનું તેલ ભારતીય રસોઈનો ખાસ ભાગ છે. આવા સમયમાં સવાલ એ ઊભો થાય છે કે, આખરે હાર્ટ હેલ્થ માટે કયું તેલ વધુ ફાયદાકારક છે?

ઓલિવ ઓઈલના ‘ફાયદા’

ઓલિવ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. તેમાં પોલીફેનોલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આ તેલ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરી શકે છે. ઘણા સંશોધનોમાં તેને હૃદય રોગના જોખમને ઘટાડવા સાથે જોડવામાં આવ્યું છે.

સરસવના તેલના ફાયદા

સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટની સાથે ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. ઓમેગા-3 શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ભારતીય ભોજન અને પરંપરાગત વાનગીઓ માટે તેને યોગ્ય માનવામાં આવે છે.

હાર્ટ હેલ્થ માટે કયું તેલ વધુ સારું છે?

વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જોઈએ તો, વર્જિન ઓલિવ ઓઈલ હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જો કે, કોલ્ડ-પ્રેસ્ડ સરસવનું તેલ પણ સંતુલિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે. ખાસ કરીને ભારતીય ખાનપાનમાં આ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.

કઈ બાબતોનું ધ્યાન રાખશો?

  1. કોઈપણ તેલને વારંવાર ગરમ કરવું નુકસાનકારક હોઈ શકે છે.
  2. ડીપ ફ્રાય અને અતિશય તળેલી વસ્તુઓનું સેવન હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
  3. ઓલિવ ઓઈલ હોય કે સરસવનું તેલ, તેની માત્રા મર્યાદિત રાખવી જરૂરી છે.

હૃદયનું સ્વાસ્થ્ય માત્ર તેલ પર જ નિર્ભર નથી કરતું પરંતુ તે તમારી સમગ્ર જીવનશૈલી પર આધાર રાખે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને મર્યાદિત માત્રામાં યોગ્ય તેલનો ઉપયોગ એ જ સ્વસ્થ હૃદયની ચાવી છે.

રાત્રે સારી ઊંઘ નથી આવતી? જાણો કયા વિટામિનની ઉણપ જવાબદાર હોઈ શકે છે

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">