Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: શરદી અને ફ્લૂના લક્ષણોમાંથી ઝડપથી રાહત આપશે આ આયુર્વેદિક ઉકાળો

પૌષ્ટિક શાકભાજી, ફળો અને મસાલાઓથી ભરપૂર ખોરાક અને પીણાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાઈરલ ઈન્ફેક્શનની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. તમે સારી રોગપ્રતિકારક શક્તિ માટે આ ઉકાળો પી શકો છો.

Immunity Booster: શરદી અને ફ્લૂના લક્ષણોમાંથી ઝડપથી રાહત આપશે આ આયુર્વેદિક ઉકાળો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:43 AM

વાયરલ ઈન્ફેક્શન (Viral infections)ના જોખમને ઘટાડવા માટે કેટલીક મૂળભૂત બાબતો જેમ કે સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવવું, માસ્ક પહેરવું અને સ્વચ્છતા (Hygiene)નું પાલન કરવું જોઈએ. પરંતુ આ સાથે તમે દિવસ દરમિયાન જે ખાઓ છો અને પીઓ છો તે તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પૌષ્ટિક શાકભાજી, ફળો અને મસાલાઓથી ભરપૂર ખોરાક અને પીણાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાઇરલ ઇન્ફેક્શનની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. તમે સારી રોગપ્રતિકારક શક્તિ માટે ઉકાળો પણ ખાઈ શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ખૂબ જ હેલ્ધી ઉકાળો બનાવી શકો છો. આ ઉકાળો મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મસાલા અને જડીબુટ્ટીઓ દવાનું કામ કરે છે. તે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને ભાગ્યે જ તેની કોઈ આડઅસર હોય છે. આવો જાણીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે કેવી રીતે ઉકાળો બનાવી શકો છો.

જાણો મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : કાળઝાળ ગરમીમાં શમીનો છોડની કાળજી આ રીતે રાખો
આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો

સામગ્રી

1 ઇંચ તાજુ આદુ

ગોળના 1-2 નંગ

કાળા મરીના થોડા ટુકડા

એક ચપટી અજમો

3-4 નાના તજ

વરિયાળી

લવિંગના 5-6 ટુકડા

1-2 નંગ કાળી ઇલાઇચી

1 ટીસ્પૂન હોમમેઇડ ચાનો મસાલો

આ રીતે ઉકાળો બનાવો

એક વાસણમાં 2 ગ્લાસ પાણી લો અને તેને ગેસ પર ઉકળવા માટે રાખો. તેમાં છીણેલું આદુ અને અન્ય સામગ્રી ઉમેરો. પાણીને 7થી 10 મિનિટ સુધી ઉકળવા દો જ્યાં સુધી તે કાળું ન થાય. એક ગ્લાસમાં પીણું ગાળીને ગરમા-ગરમ સર્વ કરો.

ઉકાળાના ફાયદા

કાળા મરી, અજમો, લવિંગ, વરિયાળી અને એલચી જેવા મસાલામાં એંટી ઇમ્ફ્લેમેન્ટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેઓ ગળામાં દુખાવો, શરદી અને ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસો અનુસાર આહારમાં મસાલા ઉમેરવાથી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે તેમજ ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી તમારું રક્ષણ કરે છે.

આ સિવાય આદુમાં એંટી ઇમ્ફ્લેમેન્ટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે સોજા દૂર કરવામાં મદદ કરે છે. આ પીણામાં થોડી માત્રામાં ગોળ ઉમેરવાથી માત્ર સ્વાદમાં વધારો થતો નથી, પરંતુ તે તમારા શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે અને શરદી અને ફ્લૂ સામે લડે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health: અતિશય જમી લીધા પછી પેટમાં દુઃખે છે? અપનાવો આ ટિપ્સ તરત રાહત મળશે

આ પણ વાંચો: જો વર્કઆઉટ માટે સમય નથી તો આ રીતે શરીરને રાખો ફીટ

આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">