Health: પેટની ચરબી બર્ન કરવા માટે નાસ્તામાં સામેલ કરો આ પાંચ ખોરાક
તમારા આહારમાં પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ કરવો અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘટાડવું એ પ્રમાણસર પેટ રાખવાની ચાવી છે. અહીં કેટલાક નાસ્તાના વિકલ્પો છે જે તમને તંદુરસ્ત અને ફિટ શરીરના તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
સમતોલ આહાર સારા સ્વાસ્થ્ય (Good Health) માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સવારનો નાસ્તો (Breakfast) દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. સવારના નાસ્તામાં વ્યક્તિ શું ખાય છે તે નક્કી કરે છે કે તે આખા દિવસ દરમિયાન ખોરાક(Food)ની પસંદગી કેવી કરે છે. તંદુરસ્ત આહાર તમારા એકંદર સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે, પરંતુ તે ફક્ત એક કે બે ખોરાક ઉમેરીને અથવા બાદબાકી કરીને પ્રાપ્ત કરી શકાતો નથી.
વજન ઘટાડવા માટે મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો સ્વસ્થ આહાર, કસરત અને તેનુ યોગ્ય રીતે અનુસરણ છે જેથી પરિણામો સંતોષકારક અને લાંબા સમય સુધી ચાલે. ખાસ કરીને પેટની આસપાસની ચરબી ઘટાડવા સાથે જો વજન ઘટાડવાના સિદ્ધાંતોને અનુસરવા માગતા હોય તો કેટલોક ખોરાક આહારમાં લેવો જોઇએ.
તમારા આહારમાં પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ કરવો અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘટાડવું એ પ્રમાણસર પેટ રાખવાની ચાવી છે. અહીં કેટલાક અન્ય નાસ્તાના વિકલ્પો છે જે તમને તંદુરસ્ત અને ફિટ શરીરના તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
1. દહીં
સ્ટડીમાં સામે આવ્યુ છે કે દહીં આહારમાં ન લેનાર લોકોની સરખામણીમાં જે લોકોએ દહીંને તેમના આહારમાં સમાવ્યું તેમણે વધુ વજન ઘટાડ્યું હતું અને શરીરના પાતળા પણાને પણ જાળવી રાખ્યુ. દહી વજન ઘટાડવા માટે કેલ્શિયમ જેવા પોષક તત્વોનું મહત્વ દર્શાવે છે. આહારમાં કેલ્શિયમની યોગ્ય માત્રા સાથે તે કેલરી બર્ન કરવામાં અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે. જે એક મુખ્ય તત્વ છે જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
2. ઉપમા
ઉપમામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે અને તે વજન ઘટાડવાના તંદુરસ્ત આહારનો પ્રથમ વિકલ્પ છે. તેમાં સોજી પણ હોય છે જે કુદરતી રીતે ઓછી ચરબી ધરાવે છે અને શરીરને સારુ કોલેસ્ટ્રોલ આપવામાં મદદ કરે છે. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તેને ઓછા તેલમાં રાંધવામાં આવે જેથી કરીને વધુ પડતી ચરબી પોષક તત્વોના ફાયદાને છીનવી ન લે જે અંદર જઈ શકે છે.
3. ઇંડા
આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ અથવા ચરબીનું પ્રમાણ ઓછું હોય તેવા ઇંડા એ નાસ્તાનો સંપૂર્ણ વિકલ્પ છે. તેમને તળેલા, બાફેલા અથવા શાકભાજી સાથે ઓમેલેટ તરીકે ખાવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે ઓછી ચરબીવાળો, પેટ ભરે તેવો નાસ્તો છે. જો કે એ નોંધવું પણ જરૂરી છે કે નાસ્તાનો વિકલ્પ ગમે તેટલો આરોગ્યપ્રદ હોય, કેલરી યોગ્ય રીતે નિયંત્રિત હોવી જોઈએ.
4. ઓટમીલ
ઓટ્સ ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ વાળા હોય છે. તેને સવારે નાસ્તામાં દુધી સાથે મિક્સ કરીને ખાઇ શકાય છે. આખી રાત ઠંડુ કર્યા પછી તેને દહીં અથવા ઠંડા દૂધ સાથે પણ ખાઈ શકાય છે અને તમારી પસંદગીના ફળો ઉમેરીને તમારા ઇચ્છિત સ્વાદને વધારી શકાય છે. ખાંડને બદલે મધ એ મીઠાશનો સારો વિકલ્પ છે.
5. મૂંગ દાળ ચિલ્લા
મગની દાળ ફાઇબરનો ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે. ફાઇબર પાચન માટે સારા હોવાની સાથે તેમાં પ્રોટીનની યોગ્ય માત્રા પણ હોય છે, જે તેને એક ઉત્તમ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. તમે તેના બેટરમાં શાકભાજી ઉમેરી શકો છો જેથી કરીને ખોરાક વધુ સ્વસ્થ, વધુ પૌષ્ટિક બને.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો : ‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત
આ પણ વાંચો : Helicopter Crash: એરફોર્સ ઓફિસરનો મૃતદેહ ઓડિશા પહોંચ્યો, મુખ્યમંત્રી પટનાયકે આપી શ્રદ્ધાંજલિ