AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: અંકુરિત થયેલા બટાકા ખાવાથી બચો, આ નુકશાન થઇ શકે છે

નિષ્ણાતો કહે છે કે જો તમે તે અંકુરિત ભાગને બટાકામાંથી અલગ કરી દીધો હોય તો તમે તેને બગીચામાં લગાવીને બટાકાના છોડ ઉગાડી શકો છો.

Health: અંકુરિત થયેલા બટાકા ખાવાથી બચો, આ નુકશાન થઇ શકે છે
Avoid eating sprouted potatoes, this can be harmful (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:00 AM
Share

બટાકા (Potatoes ) એ ઘરોમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી છે. મોટાભાગના ઘરોમાં બટાકા મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. પરિણામે, થોડા દિવસો પછી તેમાં અંકુરણ શરૂ થાય છે, પરંતુ લોકો તેની અવગણના કરે છે અને શાકભાજીમાં (Vegetables ) તેનો ઉપયોગ કરે છે. ક્યારેય વિચાર્યું છે કે આ ફણગાવેલા બટાકા સ્વાસ્થ્ય (Health ) માટે ફાયદાકારક છે કે હાનિકારક. આ અંગે નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરનું કહેવું છે કે, જો તમારા ઘરમાં રાખેલા બટાકામાં અંકુર ફૂટવાનું શરૂ થઈ ગયું હોય અથવા બટાકા ફૂટી ગયા હોય તો તેને ફેંકી દેવો એ વધુ સારો વિકલ્પ છે. આવા બટાટા સ્વાસ્થ્ય માટે સારા નથી.

ફણગાવેલા બટાકા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે, તેની અસર કેવી રીતે સમજવી અને તે કેટલું જોખમી છે? જાણો આ સવાલોના જવાબ.

બટાટા ઝેરી બની જાય છે

નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરના રિપોર્ટ અનુસાર બટાકામાં કુદરતી રીતે સોલેનાઈન અને ચેકોનાઈન જેવા કેટલાક ઝેરી તત્વો હોય છે. જો કે તે તેમાં ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે, પરંતુ તે તેના છોડ અને પાંદડાઓમાં વધુ માત્રામાં હાજર છે.

તેથી, જેમ જેમ બટાટા અંકુરિત થવા લાગે છે, તેવી જ રીતે તેમાં બંને ઝેરી તત્વોનું પ્રમાણ વધવા લાગે છે. આથી આવા બટાકાને કોઈપણ સ્વરૂપમાં ખાધા પછી તે તત્વો શરીરમાં પહોંચવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા બટાકાને એક કે બે વાર ખાવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે સતત આવા બટાકાથી બનેલું ફૂડ ખાતા હોવ તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને પેટ સંબંધિત.

આવા લક્ષણો દેખાઈ શકે છે

રિપોર્ટ અનુસાર જો બટાકાના ઝેરી તત્વો શરીરમાં વધુ પ્રમાણમાં પહોંચવા લાગે છે તો ઘણા લક્ષણો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો વગેરે. કેટલાક લોકોમાં તેના લક્ષણો હળવા હોય છે અને કેટલાકમાં આ લક્ષણો ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જો સ્થિતિ વધુ ગંભીર બને છે તો લો બ્લડ પ્રેશર, તાવ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જો તેને યોગ્ય સમયે રોકવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.

કેવી રીતે બટાકાને અંકુરિત થતાં અટકાવવા

1. જો બટાકામાં લીલો રંગ દેખાતો હોય અથવા તો ક્યાંક અંકુરિત થઈ રહ્યો હોય તો તેને કાઢી લો.

2. બટાકાને એવી જગ્યાએ રાખો કે જ્યાં સૂર્યના કિરણો ન પહોંચે અને ન તો ખૂબ ઠંડી હોય.

3. તેને સ્ટોર કરતી વખતે હંમેશા ડુંગળી જેવા શાકભાજીથી અલગ રાખો કારણ કે તે ગેસ છોડે છે, જે બટાકામાં અંકુરણ શરૂ કરી શકે છે.

4. જો તમે મોટી માત્રામાં બટાકા ખરીદ્યા છે તો તમે તેને કોટન બેગમાં રાખી શકો છો. બેગ એવી હોવી જોઈએ કે હવા પસાર થઈ શકે.

5. નિષ્ણાતો કહે છે કે જો તમે તે અંકુરિત ભાગને બટાકામાંથી અલગ કરી દીધો હોય તો તમે તેને બગીચામાં લગાવીને બટાકાના છોડ ઉગાડી શકો છો.

આ પણ વાંચો : White Onion Benefits : સફેદ ડુંગળી ફક્ત સ્વાદ જ નહીં વધારે આપશે આ ફાયદા પણ

આ પણ વાંચો : Health Tips : શેકેલું લસણ ખાવાના આ પાંચ ફાયદા જાણો, થઇ જશો હેરાન

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">