AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : ધતુરાના છોડના તમામ ભાગો છે ઔષધીય ગુણોથી સમૃદ્ધ, જાણો કેવી રીતે છે આરોગ્ય માટે લાભદાયી ?

તેના ઝેરી ઘટકોના કારણે આ ઘણીવાર છોડની જીવલેણ પ્રજાતિઓમાંની એક માનવામાં આવે છે, જો કે, જ્યારે તે કાચા ખાવામાં આવે છે, ત્યારે તે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક બની શકે છે.

Health : ધતુરાના છોડના તમામ ભાગો છે ઔષધીય ગુણોથી સમૃદ્ધ, જાણો કેવી રીતે છે આરોગ્ય માટે લાભદાયી ?
Health: All parts of Datura plant are rich in medicinal properties, how is it beneficial for health?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:49 AM
Share

ધતુરાને ઘણીવાર હાનિકારક માનવામાં આવે છે,પરંતુ કાચા ખાવામાં આવે ત્યારે ધતૂરામાં કેટલાક આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો પણ છે. તેના ઝેરી ઘટકોના કારણે આ ઘણીવાર છોડની જીવલેણ પ્રજાતિઓમાંની એક માનવામાં આવે છે, જો કે, જ્યારે તે કાચા ખાવામાં આવે છે, ત્યારે તે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક બની શકે છે. છોડના તમામ ભાગો ઔષધીય હેતુઓ માટે વાપરી શકાય છે.

શ્વસન સ્વાસ્થ્ય સુધારે છે ધતુરાએ તમામ પ્રકારની શ્વસન સમસ્યાઓ માટે એક ઉત્તમ ઉપાય છે. તે અસ્થમાની સ્થિતિની સારવાર માટે મદદરૂપ થઇ શકે છે કારણ કે તેની શરીર પર ચોક્કસ એન્ટિસ્પેસ્મોડિક અસરો થાય છે.  તે શ્વસન માર્ગને શાંત કરે છે અને તે વધુ પડતી ઉધરસને પણ અટકાવે છે. આ ઉપરાંત, એન્ટિસ્પેસ્મોડિક ગુણધર્મો શરીરના અન્ય ભાગો પર પણ હકારાત્મક અસર કરી શકે છે.

મૂડ સુધારે છે  ધતુરા મૂડ સુધારવા તેમજ તણાવ ઓછો કરવામાં ખૂબ અસરકારક છે. આનું કારણ એ છે કે છોડ શરીરમાં અમુક ચોક્કસ હોર્મોન્સ મુક્ત કરે છે, આમ તણાવ અને ચિંતા દૂર કરે છે તેમજ મનને શાંત કરે છે. તણાવથી પીડિત લોકો તેમના શરીરમાં ચોક્કસ હોર્મોન્સનું નિર્માણ કરી શકે છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

તાવની સારવાર ધતુરાનું ફૂલ વિવિધ પ્રકારના તાવને ઘટાડવામાં અસરકારક છે કારણ કે તે પરોપજીવી વિરોધી તેમજ તાપમાન ઘટાડવાની અસરો ધરાવે છે.ધતુરાનો પરંપરાગત રીતે મેલેરિયાના ઉપચાર માટે ઉપયોગ થતો હતો જે આજના સમયમાં હજુ પણ મોટી ચિંતાનો વિષય છે. મેલેરિયા ઉપરાંત, સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા, ફલૂ અને અન્ય ઘણાને કારણે તાવ સામે પણ ધતુરા અસરકારક છે.

પ્રજનનક્ષમતા સુધારે  જાતીય એનર્જી, કામવાસના અને પ્રજનનક્ષમતા વધારવા માટે પણ ધતુરાનો ઉપયોગ પરંપરાગત દવા તરીકે થાય છે. તેમ છતાં લોકો હજી પણ તે કેવી રીતે મદદરૂપ છે તે શોધી શક્યા નથી, ધતુરાના બીજને પાણી અથવા દૂધમાં મિક્સ કરો અને તે ગુપ્તાંગમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરી શકે છે, આમ, શુક્રાણુના આરોગ્ય અને પ્રજનનક્ષમતામાં વધારો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે ધતુરા નો છોડ એસ્કોર્બિક એસિડથી સમૃદ્ધ છે તેમજ તેમાં એન્ટીઓક્સીડેન્ટ છે. તેના  ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિની શક્તિમાં વધારો કરે છે. આનું કારણ એ છે કે તે શ્વેત રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને શરીરની વિવિધ સિસ્ટમોમાં કેટલાક મુક્ત રેડિકલને તટસ્થ કરે છે.

નિયમિત ઊંઘ  ધતુરાના છોડ સારી ઊંઘ લાવવા માટે મદદ કરે છે. ધતુરા અનિદ્રા અથવા ઊંઘની વિકૃતિઓ ધરાવતા લોકોને કોઈપણ ખલેલ વગર આરામથી ઊંઘ માટે મદદ કરી શકે છે કારણ કે તે ચેતાને શાંત કરે છે, આમ સ્વસ્થ હોર્મોનલ પ્રકાશનને પ્રેરિત કરે છે તેમજ બળતરા અને પીડા ઘટાડે છે.

ત્વચા અને વાળ માટે સારું ધતુરા વૃદ્ધત્વના વિવિધ લક્ષણો જેમ કે કરચલીઓ ,ડાર્ક સર્કલ વગેરે ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવાર કરી શકે છે કારણ કે તે વિટામિન સી અનેએન્ટીઓક્સીડેન્ટ થી  ભરપૂર છે. જે સૂર્ય કિરણોને કારણે ઓક્સિડેટીવ મુક્ત થવાના કારણે થતા નુકસાનની સારવારમાં મદદરૂપ છે. આ ઉપરાંત, આ છોડ ખીલ ઘટાડવામાં ખૂબ અસરકારક છે, આમ આપણને સરળ અને ચમકદાર ત્વચા આપે છે.

નોંધ: પ્રાથમિક માહિતીઓના આધારે આ જનરુચિને ધ્યાનમાં લેખને તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થય સબંધિત કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા જે તે વિષયના અનુભવી વિશેષજ્ઞની સલાહ લેવી સલાહ આપવામાં આવે છે. 

આ પણ વાંચો :

Health : ગરમ પાણીથી નાહવાના છે ઘણા ફાયદા, જેનાથી તમે આજદિન સુધી હશો અજાણ

Health : નખ ઘસવાના પણ છે ઘણા ફાયદા ! વાળ સંબંધિત સમસ્યાઓથી અપાવશે છુટકારો

g clip-path="url(#clip0_868_265)">