AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ

નિષ્ણાતો માને છે કે કાળા ચોખા (Black Rice) આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે અને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ચાલો જાણીએ કાળા ચોખાના ઔષધીય ગુણધર્મો વિશે.

શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ
Do you know about these invaluable benefits of Black Rice
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:30 AM
Share

તમે ઘણાં સફેદ અને ભૂરા ચોખા ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કાળા ચોખા વિશે સાંભળ્યું? કાળા ચોખા એટલે કે બ્લેક રાઈસનો (Black Rice) ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ગયા વર્ષે કર્યો હતો. તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ભાષણ દરમિયાન PM એ ચાંદૌલીના કાળા ચોખાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બ્લેક રાઈસને ખેડૂતો માટે નફાની દ્રષ્ટીએ ફાયદાકારક ગણાવ્યા હતા. પરંતુ કાળા ચોખા ફક્ત ખેડૂતોના નફા માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણો.

આ પ્રકારના ચોખાનો રંગ વિશિષ્ટ પ્રકારનાં તત્વ એન્થેસાયનિનને કારણે કાળો હોય છે. નિષ્ણાતોના મતે આ ચોખા ઔષધીય ગુણથી ભરપુર હોય છે. એન્ટીઓકિસડન્ટોથી ભરપુર કાળા ચોખામાં વિટામિન ઇ, ફાઇબર અને પ્રોટીન પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને તે જ સમયે તે ચરબી ઓછી કરીને વજન ઘટાડવામાં મદદગાર બને છે. એટલું જ નહીં આ ચોખા પાચનની શક્તિમાં પણ વધારો કરે છે.

હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે

કાળા ચોખા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે જે હૃદય માટે સારું માનવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થાય છે. એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોવાથી, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે જ સમયે, તે શરીરના ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઉપરાંત ત્વચાને ચમકદાર બનાવે છે અને આંખો માટે પણ ફાયદાકારક છે. ડાયાબિટીસ અને સંધિવાવાળા દર્દીઓના સ્વાસ્થ્ય માટે પણ કાળા ચોખા સારા માનવામાં આવે છે.

300-350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે

જો નિષ્ણાંતોની વાત માનીએ તો આ ચોખાની ખેતી મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા ઉપરાંત યુપીના મિર્ઝાપુર અને ચાંદૌલીમાં થાય છે. તેની ખેતીમાં સામાન્ય ચોખા કરતા ઓછા પાણીની જરૂર પડે છે. તેની માંગ તામિલનાડુ, બિહાર, રાજસ્થાન, મુંબઇ, હરિયાણા અને વિદેશ સહિત અનેક ભાગોમાં વધી રહી છે. આ ચોખા લગભગ 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

આ પણ વાંચો: Health Tips: સવારે ઉઠતા વેત તમે પણ નથી કરતાને આ ભૂલો? આ આદતો સ્વાસ્થ્ય માટે છે હાનીકારક

આ પણ વાંચો: Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">