Benefits of Drumstick leaves: તમે સરગવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે, હવે તેના પાંદડાના ફાયદા વિશે પણ જાણો

સરગવો ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફાયદાકારક પણ છે પરંતુ તેના પાન પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં સરગવાના પાંદડાનો ઉપયોગ તમામ રોગોની સારવાર માટે થાય છે. જાણો સરગવાના પાંદડાના 5 મોટા ફાયદા.

Benefits of Drumstick leaves: તમે સરગવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે, હવે તેના પાંદડાના ફાયદા વિશે પણ જાણો
benefits of drumstick leaves (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 3:25 PM

તમે સરગવાના (Drumstick) ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. તે બધી વાનગીઓમાં ઘણી વખત વપરાયેલો હશે પરંતુ શું તમે જાણો છો કે, સરગવાના પાંદડા (Drumstick Leaves) પણ પોષક તત્વોનો ખજાનો છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ જેવા તત્વો ઉપરાંત, તેના પાંદડામાં 40થી વધુ પ્રકારના એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તમે તેને સરગવા (Drumstick Vegetable)ના લીલા પાંદડાનું શાક બનાવીને ખાઈ શકો છો. આ સિવાય પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવીને ખાઈ શકાય છે. આયુર્વેદમાં (Ayurveda) આ પાનનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.

અહીં જાણો તેના ફાયદા વિશે….

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ સરગવાના પાન જરૂર ખાવા જોઈએ. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ સરળતાથી વધારે છે. આના કારણે રોગપ્રતિકારક કોષોની કાર્યક્ષમતા ખૂબ સારી થાય છે અને તમારું શરીર તમામ વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત થાય છે.

પથરીમાં ફાયદાકારક

એવું કહેવાય છે કે જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો તમારે સરગવાના પાન જરૂર ખાવા જોઈએ. તેઓ પથરીને તોડવામાં અને પેશાબ દ્વારા તેને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે તે તમને કિડનીની પથરીની સમસ્યાથી પણ બચાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હૃદયની જાળવવી રાખે છે તંદુરસ્તી

સરગવાના પાંદડામાં સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આવી સ્થિતિમાં તે હૃદયના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. તેની સાથે આ પાંદડા તમારા બીપીને પણ કંટ્રોલ કરે છે. આ રીતે તમારું હૃદય સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે પણ સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાંદડામાં એન્ટિ ડાયાબિટીક અને એન્ટીિઓક્સિડેન્ટ ગુણ હોય છે. આવી સ્થિતિમાં તેઓ શરીરમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

પેટ માટે ફાયદાકારક

આયુર્વેદમાં પેટની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કારણ કે મોટાભાગના રોગોનું મૂળ પેટ છે. જો તમારું પેટ વારંવાર અસ્વસ્થ રહે છે, તો સરગવાના પાંદડા મદદરૂપ થઈ શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. ઉપરાંત આંતરડામાં જમા થયેલા કોઈપણ હાનિકારક પદાર્થો સરળતાથી દૂર થઈ જાય છે.

આ પણ વાંચો: Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ

આ પણ વાંચો: Drumstick: સરગવાના પાનથી મળે છે ડાયાબિટીસથી છુટકારો, અનેક બીમારીમાં છે રામબાણ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">